છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે થઈ રહેલા મતદાન વચ્ચે વડા પ્રધાન મોદીએ સોમવારે બિલાસપુરમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. પોતાના ભાષણમાં નોટબંધી, નક્સલવાદ, વિકાસ અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતાં કહ્યું કે નોટબંધીને કારણે માતા અને પુત્ર રૂપિયાની હેરાફેરીના કેસમાં જામીન પર ફરી રહ્યા છે અને બીજાને પ્રામાણિકતાના પ્રમાણપત્રો વહેંચતા ફરે છે. તેમના નામનો ઉલ્લેખ કર્યા વિના મોદીએ જણાવ્યું હતું કે,’તેઓ નોટબંધીનો હિસાબ માગી રહ્યા છે, તેઓ ભૂલી ગયા કે નોટબંધીને કારણે જ ત્રણ લાખ શેલ કંપનીઓ બંધ થઈ છે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે થઈ રહેલા મતદાન વચ્ચે વડા પ્રધાન મોદીએ સોમવારે બિલાસપુરમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. પોતાના ભાષણમાં નોટબંધી, નક્સલવાદ, વિકાસ અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતાં કહ્યું કે નોટબંધીને કારણે માતા અને પુત્ર રૂપિયાની હેરાફેરીના કેસમાં જામીન પર ફરી રહ્યા છે અને બીજાને પ્રામાણિકતાના પ્રમાણપત્રો વહેંચતા ફરે છે. તેમના નામનો ઉલ્લેખ કર્યા વિના મોદીએ જણાવ્યું હતું કે,’તેઓ નોટબંધીનો હિસાબ માગી રહ્યા છે, તેઓ ભૂલી ગયા કે નોટબંધીને કારણે જ ત્રણ લાખ શેલ કંપનીઓ બંધ થઈ છે.