ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગાસ્ટાર, ઉમદા સંગીતકાર અને સવાયા રાજકારણી નરેશ કનોડિયાનું આજે નિધન થયું છે. મોટાભાઇ મહેશ કનોડિયાનાં નિધનનાં બે દિવસ બાદ નાનાભાઇ નરેશ કનોડિયાનું પણ આજે અવસાન થયું છે.
નરેશ કનોડિયાનાં અંતિમ સંસ્કાર ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા છે. હવે નરેશ કનોડિયાની યાદો જ આપણી પાસે છે તેમનું શરીર પંચમહાભૂતમાં વિલિન થઇ ગયું છે. પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. સ્મશાનગૃહમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો ભેગા થયા હતા.
ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગાસ્ટાર, ઉમદા સંગીતકાર અને સવાયા રાજકારણી નરેશ કનોડિયાનું આજે નિધન થયું છે. મોટાભાઇ મહેશ કનોડિયાનાં નિધનનાં બે દિવસ બાદ નાનાભાઇ નરેશ કનોડિયાનું પણ આજે અવસાન થયું છે.
નરેશ કનોડિયાનાં અંતિમ સંસ્કાર ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા છે. હવે નરેશ કનોડિયાની યાદો જ આપણી પાસે છે તેમનું શરીર પંચમહાભૂતમાં વિલિન થઇ ગયું છે. પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. સ્મશાનગૃહમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો ભેગા થયા હતા.