મધ્ય પ્રદેશના એક ગામમાં સસ્તા અનાજની દુકાનમાં કેરોસીનની વહેંચણી વખતે આગ ફાટી નીકળતાં ૧૪ જણા બળીને ભડથું થયા હતા. મધ્ય પ્રદેશના હરાઈ તાલુકાના બારગી ખાતે સસ્તા અનાજની દુકાન ધરાવતી કો-ઓપરેટીવ સોસાયટી બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી. આ વકતે ૩ ડઝન જેટલા લોકો બિલ્ડિંગમાં હતા અને અન્ય લાઇનમાં ઉભા હતા. આ ઘટના બાદ ત્રણ મહિલા સહિત ૧૪ મૃતદેહો મળ્યા હતા.