-
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ચાલી રહેલા કેસમાં 3 મહિનાની મુદત પડતા અને ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે હવે રામ મંદિર માટે સરકાર કાયદો બનાવે તેવી માંગ સાથેનું ખાનગી વિધેયક સંસદમાં રજૂ થાય તેમ છે. રાજ્યસભાના ભાજપના સાંસદ અને સંઘ વિચારક રાકેશ સિંહાએ જાહેર કર્યું છે કે તેઓ સંસદના આગામી સત્રમાં આ અંગેનું પ્રાઇવેટ મેમ્બર બિલ લાવશે. જેમાં સરકારને રામ મંદિર માટે કાયદો બનાવવાનો અનુરોધ કરાશે. તેમણે ભાજપ સહિત શિવસેના અને કોંગ્રેસને પણ પડકાર ફેંક્યો કે તમે મંદિર ક્યારે બનાવશો..એમ કહ્યાં કરો છો તો મારા વિધેયકને ટેકો આપશો? એમ મનાય છે કે સિંહાની આ જાહેરાતની પાછળ ભાજપની હિલચાલ છે. ભાજપ સરકાર પોતે આવું વિધેયક લાવવાને બદલે ખાનગી વિધેયક પર ટેકો મેળવવાનો પ્રયાસ કરશે.
-
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ચાલી રહેલા કેસમાં 3 મહિનાની મુદત પડતા અને ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે હવે રામ મંદિર માટે સરકાર કાયદો બનાવે તેવી માંગ સાથેનું ખાનગી વિધેયક સંસદમાં રજૂ થાય તેમ છે. રાજ્યસભાના ભાજપના સાંસદ અને સંઘ વિચારક રાકેશ સિંહાએ જાહેર કર્યું છે કે તેઓ સંસદના આગામી સત્રમાં આ અંગેનું પ્રાઇવેટ મેમ્બર બિલ લાવશે. જેમાં સરકારને રામ મંદિર માટે કાયદો બનાવવાનો અનુરોધ કરાશે. તેમણે ભાજપ સહિત શિવસેના અને કોંગ્રેસને પણ પડકાર ફેંક્યો કે તમે મંદિર ક્યારે બનાવશો..એમ કહ્યાં કરો છો તો મારા વિધેયકને ટેકો આપશો? એમ મનાય છે કે સિંહાની આ જાહેરાતની પાછળ ભાજપની હિલચાલ છે. ભાજપ સરકાર પોતે આવું વિધેયક લાવવાને બદલે ખાનગી વિધેયક પર ટેકો મેળવવાનો પ્રયાસ કરશે.