યોગી આદિત્યનાથ બુધવારે અયોધ્યાની મુલાકાતે છે. અહીં મહંત નૃત્ય ગોપાલદાસ જન્મોત્સવમાં બોલતા તેમણે કહ્યું કે, લખનઉમાં અનેક મુસ્લિમ સંગઠનોએ રામ જન્મભૂમિ હિન્દુઓને સોંપવાની પહેલી કરી છે. આ પહેલા તેઓ હનુમાનગઢી, રામલલા, રામ કી પૈડી અને માતા સરયુના દર્શન કર્યા હતા. યોગી 1992માં બાબરી મસ્જિદ તોડવામાં આવ્યા બાદ ત્યાં જનારા બીજા સીએમ છે. આ પહેલા 2002માં તત્કાલિન સીએમ રાજનાથ સિંહ રામલલાના દર્શન માટે ગયા હતા. યોગી અયોધ્યા-ફૈઝાબાદમાં 8 કલાકથી વધારે સમય રોકાણ કરશે. સરયુ નદીની પૂજા અર્ચના કર્યા બાદ યોગીએ ગંગા આરતીની જેમ સરયુ આરતી કરાવવાની પણ જાહેરાત કરી હતી.
યોગી આદિત્યનાથ બુધવારે અયોધ્યાની મુલાકાતે છે. અહીં મહંત નૃત્ય ગોપાલદાસ જન્મોત્સવમાં બોલતા તેમણે કહ્યું કે, લખનઉમાં અનેક મુસ્લિમ સંગઠનોએ રામ જન્મભૂમિ હિન્દુઓને સોંપવાની પહેલી કરી છે. આ પહેલા તેઓ હનુમાનગઢી, રામલલા, રામ કી પૈડી અને માતા સરયુના દર્શન કર્યા હતા. યોગી 1992માં બાબરી મસ્જિદ તોડવામાં આવ્યા બાદ ત્યાં જનારા બીજા સીએમ છે. આ પહેલા 2002માં તત્કાલિન સીએમ રાજનાથ સિંહ રામલલાના દર્શન માટે ગયા હતા. યોગી અયોધ્યા-ફૈઝાબાદમાં 8 કલાકથી વધારે સમય રોકાણ કરશે. સરયુ નદીની પૂજા અર્ચના કર્યા બાદ યોગીએ ગંગા આરતીની જેમ સરયુ આરતી કરાવવાની પણ જાહેરાત કરી હતી.