કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો તે મુદ્રા યોજના હાલ સરકાર માટે બોજરૂપ બની ગઈ છે. આ યોજનાનું સુરસુરિયું થયા પછી તે હવે એનપીએ થવાને આરે છે. સરકારે નવી રોજગારીનું સર્જન કરવા સ્વરોજગારીનાં હેતુથી આ યોજના શરૂ કરી હતી અને યુવાનોને શિશુ કેટેગરીનાં સ્વરોજગાર માટે રૂ. ૫૦,૦૦૦ તેમજ કિશોર કેટેગરી હેઠળ રૂ. ૫૦,૦૦૦થી રૂ. ૫ લાખ તેમજ તરુણ કેટેગરીનાં રોજગાર માટે રૂ. ૫ લાખથી રૂ. ૧૦ લાખ આપવાની જાહેરાત કરી હતી. હવે સ્થિતિ એવી છે કે નવી રોજગારીનું સર્જન તો ઠીક જે યુવાનો સ્વરાજગારીમાં પડયા છે તેમને પોતાને કમાણી કરવાનાં ફાંફા પડી રહ્યા છે.
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો તે મુદ્રા યોજના હાલ સરકાર માટે બોજરૂપ બની ગઈ છે. આ યોજનાનું સુરસુરિયું થયા પછી તે હવે એનપીએ થવાને આરે છે. સરકારે નવી રોજગારીનું સર્જન કરવા સ્વરોજગારીનાં હેતુથી આ યોજના શરૂ કરી હતી અને યુવાનોને શિશુ કેટેગરીનાં સ્વરોજગાર માટે રૂ. ૫૦,૦૦૦ તેમજ કિશોર કેટેગરી હેઠળ રૂ. ૫૦,૦૦૦થી રૂ. ૫ લાખ તેમજ તરુણ કેટેગરીનાં રોજગાર માટે રૂ. ૫ લાખથી રૂ. ૧૦ લાખ આપવાની જાહેરાત કરી હતી. હવે સ્થિતિ એવી છે કે નવી રોજગારીનું સર્જન તો ઠીક જે યુવાનો સ્વરાજગારીમાં પડયા છે તેમને પોતાને કમાણી કરવાનાં ફાંફા પડી રહ્યા છે.