ગુજરાતની રાજ્યસભાની આંટીઘૂંટી ભરેલી ચૂંટણીની રણનીતિમાં ભાજપે પોતાની સર્વોપરિતા સાબિત કરતાં મેદાન માર્યું છે અને એના ત્રણે ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીનની ભવ્ય જીત થઈ છે. વિરોધ પક્ષ કોંગ્રેસને એક માત્ર શક્તિસિંહ ગોહિલ-રૂપી બેઠકથી સંતોષ માનવો પડયો છે. જ્યારે કોંગ્રેસના બીજા ક્રમના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ભૂ ચાટતાં થઈ ગયા છે અને ઉપરા-ઉપરી લોકસભાની બે ચૂંટણીમાં પરાજય પછી રાજ્યસભાના માર્ગેથી દિલ્હી પહોંચવાના એમના ઓરતાં ઉપર પાણી ફરી વળ્યું છે.
ગુજરાતની રાજ્યસભાની આંટીઘૂંટી ભરેલી ચૂંટણીની રણનીતિમાં ભાજપે પોતાની સર્વોપરિતા સાબિત કરતાં મેદાન માર્યું છે અને એના ત્રણે ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીનની ભવ્ય જીત થઈ છે. વિરોધ પક્ષ કોંગ્રેસને એક માત્ર શક્તિસિંહ ગોહિલ-રૂપી બેઠકથી સંતોષ માનવો પડયો છે. જ્યારે કોંગ્રેસના બીજા ક્રમના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ભૂ ચાટતાં થઈ ગયા છે અને ઉપરા-ઉપરી લોકસભાની બે ચૂંટણીમાં પરાજય પછી રાજ્યસભાના માર્ગેથી દિલ્હી પહોંચવાના એમના ઓરતાં ઉપર પાણી ફરી વળ્યું છે.