આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારને વેગ આપતાંવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મૈં ભી ચોકીદાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને સામાજિક દૂષણો સામે લડનાર અને ભારતના વિકાસ માટે આકરી મહેનત કરનાર દરેક વ્યક્ત ચોકીદાર છે. પીએમ મોદીએ શ્રેણીબદ્ધ ટ્વિટમાં જણાવ્યું હતું કે, તમારો ચોકીદાર અડીખમ ઊભો રહી દેશની સેવા કરી રહ્યો છે. પરંતુ હું એકલો નથી. ભ્રષ્ટાચાર અને સામાજિક દૂષણો સામે લડનારો દરેક ચોકીદાર છે. દેશની પ્રગતિ માટે આકરી મહેનત કરનાર દરેક નાગરિક ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે કે, મૈં ભી ચોકીદાર. પીએમ મોદીનાં ટ્વિટના પગલે ભાજપના સંખ્યાબંધ નેતાઓ #MainBhiChowkidar પર જોડાઈ ગયાં હતાં અને ટ્વિટ કરવા લાગ્યા હતા.
આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારને વેગ આપતાંવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મૈં ભી ચોકીદાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને સામાજિક દૂષણો સામે લડનાર અને ભારતના વિકાસ માટે આકરી મહેનત કરનાર દરેક વ્યક્ત ચોકીદાર છે. પીએમ મોદીએ શ્રેણીબદ્ધ ટ્વિટમાં જણાવ્યું હતું કે, તમારો ચોકીદાર અડીખમ ઊભો રહી દેશની સેવા કરી રહ્યો છે. પરંતુ હું એકલો નથી. ભ્રષ્ટાચાર અને સામાજિક દૂષણો સામે લડનારો દરેક ચોકીદાર છે. દેશની પ્રગતિ માટે આકરી મહેનત કરનાર દરેક નાગરિક ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે કે, મૈં ભી ચોકીદાર. પીએમ મોદીનાં ટ્વિટના પગલે ભાજપના સંખ્યાબંધ નેતાઓ #MainBhiChowkidar પર જોડાઈ ગયાં હતાં અને ટ્વિટ કરવા લાગ્યા હતા.