ડભોઈમાં સતત બે દિવસથી મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. ડભોઈના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં નવા નીર આવ્યાં છે. છોટાઉદેપુરમાં વરસાદ પડતા ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ઠલવાયા. ઓરસંગના પાણી નર્મદા નદીમાં ઠલવાતા જળસપાટીમાં નહિવત વધારો થયો છે. પ્રથમ વરસાદમાં જ નદી કાંઠે રમણીય દ્રશ્યો સર્જાયા.