બિહારના મુ્ખ્યમંત્રી નીતિશ કુમારે આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મોદીએ મોરેશિયસના પીએમ પ્રવિન્દ જગનૌથ માટે લંચ હોસ્ટ કર્યું હતું. તેમાં નીતિશકુમારે હાજરી આપી હતી. નીતિશે કહ્યું હતું કે લંચ પછી તેઓ પીએમ સાથે ગંગા નદી પર ચર્ચા કરશે. નોંધનીય છે કે શુક્રવારે જ સોનિયા ગાંધીએ વિપક્ષના નેતાઓ માટે લંચ હોસ્ટ કર્યું હતું. તેમાં લાલુપ્રસાદ યાદવ અને મમતા બેનર્જી સહિત 17 નેતાઓ સામેલ થયા હતા. જોકે, નીતિશે તેમાં હાજરી પુરાવી ન હતી. તેમની પાર્ટી તરફથી શરદ યાદવ અને કે.સી. ત્યાગી આ પાર્ટીમાં સામેલ થયા હતા.
બિહારના મુ્ખ્યમંત્રી નીતિશ કુમારે આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મોદીએ મોરેશિયસના પીએમ પ્રવિન્દ જગનૌથ માટે લંચ હોસ્ટ કર્યું હતું. તેમાં નીતિશકુમારે હાજરી આપી હતી. નીતિશે કહ્યું હતું કે લંચ પછી તેઓ પીએમ સાથે ગંગા નદી પર ચર્ચા કરશે. નોંધનીય છે કે શુક્રવારે જ સોનિયા ગાંધીએ વિપક્ષના નેતાઓ માટે લંચ હોસ્ટ કર્યું હતું. તેમાં લાલુપ્રસાદ યાદવ અને મમતા બેનર્જી સહિત 17 નેતાઓ સામેલ થયા હતા. જોકે, નીતિશે તેમાં હાજરી પુરાવી ન હતી. તેમની પાર્ટી તરફથી શરદ યાદવ અને કે.સી. ત્યાગી આ પાર્ટીમાં સામેલ થયા હતા.