અયોધ્યામાં રવિવારે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત ધર્મસભાનો પ્રારંભ થયો હતો. ધર્મસભામાં હાજરી આપવા દેશમાંથી સંતો-મહંતો, સાધુ-સંતો તેમજ સંઘ અને વીએચપીના નેતાઓ અને કાર્યકરો લાખોની સંખ્યામાં ઊમટી પડયા હતા. ધર્મસભાનાં સ્થળે ૨ લાખથી વધુ કાર્યકરોની હાજરી જોવા મળી હતી. ૫ કલાક કરતાં વધુ સમય ચાલેલી ધર્મસભામાં સૌએ એક સૂરે અયોધ્યામાં વહેલામાં વહેલી તકે રામમંદિર બાંધવાની બુલંદ માગણી કરી હતી. વિશ્વ હિંદુ પરિષદે ધર્મસભામાં તીખાં તેવર સાથે સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી હતી કે રામમંદિર બાંધવા તેને પૂરેપૂરી જમીન જોઈએ. સરકાર કે કોર્ટ અમને જમીનનો ટુકડો આપે તે સ્વીકાર્ય નથી. વિવાદિત જમીન પર મુસ્લિમોને કોઈપણ સંજોગોમાં નમાજ પઢવા દઈશું નહીં.
અયોધ્યામાં રવિવારે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત ધર્મસભાનો પ્રારંભ થયો હતો. ધર્મસભામાં હાજરી આપવા દેશમાંથી સંતો-મહંતો, સાધુ-સંતો તેમજ સંઘ અને વીએચપીના નેતાઓ અને કાર્યકરો લાખોની સંખ્યામાં ઊમટી પડયા હતા. ધર્મસભાનાં સ્થળે ૨ લાખથી વધુ કાર્યકરોની હાજરી જોવા મળી હતી. ૫ કલાક કરતાં વધુ સમય ચાલેલી ધર્મસભામાં સૌએ એક સૂરે અયોધ્યામાં વહેલામાં વહેલી તકે રામમંદિર બાંધવાની બુલંદ માગણી કરી હતી. વિશ્વ હિંદુ પરિષદે ધર્મસભામાં તીખાં તેવર સાથે સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી હતી કે રામમંદિર બાંધવા તેને પૂરેપૂરી જમીન જોઈએ. સરકાર કે કોર્ટ અમને જમીનનો ટુકડો આપે તે સ્વીકાર્ય નથી. વિવાદિત જમીન પર મુસ્લિમોને કોઈપણ સંજોગોમાં નમાજ પઢવા દઈશું નહીં.