Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહનું નામાંકન આ વર્ષના ખેલ રત્ન માટે પરત ખેંચી લેવાયું હોવાના મામલે પંજાબ સરકાર તેમજ હરભજન વચ્ચે ખટપટ હોવાની અફવાઓ વહેતી થઈ હતી. શનિવારે આ મામલે હરભજન સિંહે પોતાની તરફથી સ્પષ્ટતા કરી હતી. હરભજન સિંહે જણાવ્યુ હતું કે, તેમણે પોતે જ પંજાબ સરકારને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્નનું નામાંકન પરત લઈ લેવા જણાવ્યું હતું.

હરભજન સિંહે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને આ અંગે ખુલાસો કર્યો હતો. ભજ્જીએ જણાવ્યું હતું કે હું આ એવોર્ડ મેળવવા માટો યોગ્ય નથી. ભારતીય ઓફ સ્પિનરે જણાવ્યું કે, પંજાબ સરકારે ખેલ રત્નના સંભવિતોમાંથી મારું નામ શા માટે પરત લઈ લીધું તેવા સંખ્યાબંધ ફોન કોલ્સ મને આવી રહ્યા છે. જો કે સત્ય એ છએ કે આ એવોર્ડ પાછલા ત્રણ વર્ષના આંતરાષ્ટ્રીય પ્રદર્શનને આધારે નક્કી કરાય છે અને હું તેના માટે યોગ્ય નથી.

પંજાબ સરકારનો કોઈ દોષ નથી અને તેમણે જે કંઈ પણ કર્યું છે તે બરોબર કર્યું છે. હું મીડિયાના મારા મિત્રોને વિનંતી કરું છું કે તેઓ કોઈ ખોટી ધારણાઓ વહેતી ના કરે, તેમ ભજ્જીએ અન્ય ટ્વીટમાં જણાવ્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહનું નામાંકન આ વર્ષના ખેલ રત્ન માટે પરત ખેંચી લેવાયું હોવાના મામલે પંજાબ સરકાર તેમજ હરભજન વચ્ચે ખટપટ હોવાની અફવાઓ વહેતી થઈ હતી. શનિવારે આ મામલે હરભજન સિંહે પોતાની તરફથી સ્પષ્ટતા કરી હતી. હરભજન સિંહે જણાવ્યુ હતું કે, તેમણે પોતે જ પંજાબ સરકારને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્નનું નામાંકન પરત લઈ લેવા જણાવ્યું હતું.

હરભજન સિંહે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને આ અંગે ખુલાસો કર્યો હતો. ભજ્જીએ જણાવ્યું હતું કે હું આ એવોર્ડ મેળવવા માટો યોગ્ય નથી. ભારતીય ઓફ સ્પિનરે જણાવ્યું કે, પંજાબ સરકારે ખેલ રત્નના સંભવિતોમાંથી મારું નામ શા માટે પરત લઈ લીધું તેવા સંખ્યાબંધ ફોન કોલ્સ મને આવી રહ્યા છે. જો કે સત્ય એ છએ કે આ એવોર્ડ પાછલા ત્રણ વર્ષના આંતરાષ્ટ્રીય પ્રદર્શનને આધારે નક્કી કરાય છે અને હું તેના માટે યોગ્ય નથી.

પંજાબ સરકારનો કોઈ દોષ નથી અને તેમણે જે કંઈ પણ કર્યું છે તે બરોબર કર્યું છે. હું મીડિયાના મારા મિત્રોને વિનંતી કરું છું કે તેઓ કોઈ ખોટી ધારણાઓ વહેતી ના કરે, તેમ ભજ્જીએ અન્ય ટ્વીટમાં જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ