ભારતીય રેલવે તેનાં સ્ટેશનોને એરપોર્ટની જેમ સીલ કરવાની યોજના બનાવી રહી છે. સુરક્ષાની ચકાસણી માટે પ્રવાસીઓએ ટ્રેન રવાના થવાના નિર્ધારિત સમય કરતાં ૧૫-૨૦ મિનિટ વહેલાં પહોંચવું પડશે. અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનો આ સિક્યોરિટી પ્લાન આ મહિનામાં શરૂ થતા કુંભમેળાનાં સ્થળ પ્રયાગરાજ ખાતે અમલમાં મુકાયો છે, તે ઉપરાંત પ્રારંભિક ધોરણે હુબલી સ્ટેશન ખાતે આ યોજનાનો પ્રારંભ કરાયો છે. દેશનાં ૨૦૨ રેલવેસ્ટેશન ખાતે આ યોજનાના અમલની બ્લૂ પ્રિન્ટ રેલવે દ્વારા તૈયાર કરી દેવાઈ છે. આરપીએફના ડિરેક્ટર જનરલ અરુણકુમારે જણાવ્યું હતું કે, પ્રવાસીઓએ ટ્રેનનાં સ્ટેશન પર એરપોર્ટની જેમ કલાકો પહેલાં આવવાની જરૂર નથી. તેઓ ટ્રેન રવાના થવાના ૧૨-૨૦ મિનિટ પહેલાં આવી શકે છે જેથી તેમને સુરક્ષાચકાસણીમાં વિલંબ ન થાય.
ભારતીય રેલવે તેનાં સ્ટેશનોને એરપોર્ટની જેમ સીલ કરવાની યોજના બનાવી રહી છે. સુરક્ષાની ચકાસણી માટે પ્રવાસીઓએ ટ્રેન રવાના થવાના નિર્ધારિત સમય કરતાં ૧૫-૨૦ મિનિટ વહેલાં પહોંચવું પડશે. અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનો આ સિક્યોરિટી પ્લાન આ મહિનામાં શરૂ થતા કુંભમેળાનાં સ્થળ પ્રયાગરાજ ખાતે અમલમાં મુકાયો છે, તે ઉપરાંત પ્રારંભિક ધોરણે હુબલી સ્ટેશન ખાતે આ યોજનાનો પ્રારંભ કરાયો છે. દેશનાં ૨૦૨ રેલવેસ્ટેશન ખાતે આ યોજનાના અમલની બ્લૂ પ્રિન્ટ રેલવે દ્વારા તૈયાર કરી દેવાઈ છે. આરપીએફના ડિરેક્ટર જનરલ અરુણકુમારે જણાવ્યું હતું કે, પ્રવાસીઓએ ટ્રેનનાં સ્ટેશન પર એરપોર્ટની જેમ કલાકો પહેલાં આવવાની જરૂર નથી. તેઓ ટ્રેન રવાના થવાના ૧૨-૨૦ મિનિટ પહેલાં આવી શકે છે જેથી તેમને સુરક્ષાચકાસણીમાં વિલંબ ન થાય.