સરકારી બેન્કો પાસેથી કરોડોની લોન લઈને તેની પરત ચુકવણી કર્યા વિના વિદેશ ભાગી જનાર વિલફુલ ડિફોલ્ટર્સ સામે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવા કેન્દ્ર સરકાર દ્વારા હવે સરકારી બેન્કોના સીઈઓને સત્તા આપવામાં આવી છે. આમ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા કરોડોનું ફુલેકું ફેરવનારાઓ ફરતે સરકારે સકંજો વધુ મજબૂત બનાવ્યો છે. સરકારી બેન્કોના સીઈઓ હવે શકમંદો સામે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવા ગૃહમંત્રાલયને વિનંતી કરી શકશે. સક્ષમ અધિકારીઓ જે રીતે શકમંદો સામે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડી શકે છે તેની યાદીમાં કેન્દ્રનાં ગૃહમંત્રાલયે સરકારી બેન્કોના સીઈઓનો સમાવેશ કર્યો છે. નાણાકીય સર્વિસિસ સેક્રેટરી રાજીવકુમારનાં વડપણ હેઠળની સમિતિએ આ ભલામણ કરી હતી.
સરકારી બેન્કો પાસેથી કરોડોની લોન લઈને તેની પરત ચુકવણી કર્યા વિના વિદેશ ભાગી જનાર વિલફુલ ડિફોલ્ટર્સ સામે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવા કેન્દ્ર સરકાર દ્વારા હવે સરકારી બેન્કોના સીઈઓને સત્તા આપવામાં આવી છે. આમ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા કરોડોનું ફુલેકું ફેરવનારાઓ ફરતે સરકારે સકંજો વધુ મજબૂત બનાવ્યો છે. સરકારી બેન્કોના સીઈઓ હવે શકમંદો સામે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવા ગૃહમંત્રાલયને વિનંતી કરી શકશે. સક્ષમ અધિકારીઓ જે રીતે શકમંદો સામે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડી શકે છે તેની યાદીમાં કેન્દ્રનાં ગૃહમંત્રાલયે સરકારી બેન્કોના સીઈઓનો સમાવેશ કર્યો છે. નાણાકીય સર્વિસિસ સેક્રેટરી રાજીવકુમારનાં વડપણ હેઠળની સમિતિએ આ ભલામણ કરી હતી.