કુલભૂષણ જાધવ મુદ્દે હેગની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં 8 જૂને આગામી સુનાવણી થવાની છે. જાધવ મુદ્દે પાકિસ્તાન નરમ પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે પાકિસ્તાને કહ્યું હતું કે જ્યાં સુધી જાધવની તમામ દયા અરજીઓ ખતમ નહીં થઈ જાય ત્યાં સુધી ફાંસીએ નહીં લટકાવવામાં આવે. આ સંદર્ભમાં એક વ્યૂહરચના બનાવવા નવાઝ શરીફે દેશના ટોપ સિવિલ અને મિલિટ્રી ઓફિશિયલ્સ સાથે મુલાકાત કરી. જેમાં જાધવ કેસમાં પાક સામે વર્તમાન વિકલ્પ અને આઈસીજેમાં તેમના પગલાંના બચાવની તૈયારી પર ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય તે કે પાક મિલિટ્રી કોર્ટે ઈન્ડિયન સિટીઝન જાધવને ફાંસીની સજા સંભળાવી છે.
કુલભૂષણ જાધવ મુદ્દે હેગની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં 8 જૂને આગામી સુનાવણી થવાની છે. જાધવ મુદ્દે પાકિસ્તાન નરમ પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે પાકિસ્તાને કહ્યું હતું કે જ્યાં સુધી જાધવની તમામ દયા અરજીઓ ખતમ નહીં થઈ જાય ત્યાં સુધી ફાંસીએ નહીં લટકાવવામાં આવે. આ સંદર્ભમાં એક વ્યૂહરચના બનાવવા નવાઝ શરીફે દેશના ટોપ સિવિલ અને મિલિટ્રી ઓફિશિયલ્સ સાથે મુલાકાત કરી. જેમાં જાધવ કેસમાં પાક સામે વર્તમાન વિકલ્પ અને આઈસીજેમાં તેમના પગલાંના બચાવની તૈયારી પર ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય તે કે પાક મિલિટ્રી કોર્ટે ઈન્ડિયન સિટીઝન જાધવને ફાંસીની સજા સંભળાવી છે.