પાકિસ્તાન તરફથી વાટાઘાટો માટે થઈ રહેલી દરખાસ્તોને મુદ્દે ભારતે સાફ કહી દીધું છે કે પાકિસ્તાન ત્રાસવાદ વિરુદ્ધ પગલાં નહીં લે તો મંત્રણા મુશ્કેલ છે. સરકારે પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહી દીધું છે કે તે ત્રાસવાદ સામે લડાઈને મુદ્દે ગંભીરહોય તો દાઉદ ઇબ્રાહીમ અને સૈયદ સલાહુદ્દીનને ભારતને સોંપી દે. સરકારી સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન આ બે આતંકવાદી ઉપરાંત જે ભારતીય છે પરંતુ પાકિસ્તાનમાં વસી રહ્યા છે તેવા ભારતીયોને સોંપવા પણ પાકિસ્તાન સમક્ષ માગણી કરી છે.
ભારતે કહ્યું કે પુલવામા ત્રાસવાદી હુમલામાં જૈશની સહભાગીતા હોવા છતાં પાકિસ્તાનની સરકાર કોઈ ત્રાસવાદી સંગઠન વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહ્યું. જે પગલાં લેવાયા છે તે કોસ્મેટિક અને દેખાડો કરવા માટેના છે. પુલવામા હુમલા પછી ઊભા થયેલા આંતરરાષ્ટ્રીય દબાણને પગલે પાકિસ્તાને કોની કોની અટકાયત કરી છે તે હજી સ્પષ્ટ નથી થયું.
પાકિસ્તાન તરફથી વાટાઘાટો માટે થઈ રહેલી દરખાસ્તોને મુદ્દે ભારતે સાફ કહી દીધું છે કે પાકિસ્તાન ત્રાસવાદ વિરુદ્ધ પગલાં નહીં લે તો મંત્રણા મુશ્કેલ છે. સરકારે પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહી દીધું છે કે તે ત્રાસવાદ સામે લડાઈને મુદ્દે ગંભીરહોય તો દાઉદ ઇબ્રાહીમ અને સૈયદ સલાહુદ્દીનને ભારતને સોંપી દે. સરકારી સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન આ બે આતંકવાદી ઉપરાંત જે ભારતીય છે પરંતુ પાકિસ્તાનમાં વસી રહ્યા છે તેવા ભારતીયોને સોંપવા પણ પાકિસ્તાન સમક્ષ માગણી કરી છે.
ભારતે કહ્યું કે પુલવામા ત્રાસવાદી હુમલામાં જૈશની સહભાગીતા હોવા છતાં પાકિસ્તાનની સરકાર કોઈ ત્રાસવાદી સંગઠન વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહ્યું. જે પગલાં લેવાયા છે તે કોસ્મેટિક અને દેખાડો કરવા માટેના છે. પુલવામા હુમલા પછી ઊભા થયેલા આંતરરાષ્ટ્રીય દબાણને પગલે પાકિસ્તાને કોની કોની અટકાયત કરી છે તે હજી સ્પષ્ટ નથી થયું.