પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે પાકિસ્તાનનાં કરતારપુર ખાતે આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબ અને ભારતના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા નાનકને જોડતા કોરિડોરનો શિલાન્યાસ કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારત સાથે મજબૂત અને સભ્ય સંબંધો ઇચ્છે છે. જો ભારત એક ડગલું આગળ ભરશે તો અમે બે ડગલાં આગળ વધીશું. હું જ્યારે પણ ભારત જતો ત્યારે લોકો મને કહેતાં કે પાકિસ્તાની સેનાને શાંતિમાં રસ નથી. હું તમને કહું છું કે, પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે હું, મારી પાર્ટી, અન્ય રાજકીય પાર્ટીઓ અને અમારી સેના ઇચ્છે છે કે ભારત સાથેના સંબંધોમાં સુધારો થાય. અમે ભારત સાથે સભ્ય સંબંધો ઇચ્છીએ છીએ. ઇમરાને કહ્યું કે, ભારત અને પાકિસ્તાને સારા પાડોશી બનવા મતભેદોનો ઉકેલ લાવવો જ જોઈએ.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે પાકિસ્તાનનાં કરતારપુર ખાતે આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબ અને ભારતના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા નાનકને જોડતા કોરિડોરનો શિલાન્યાસ કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારત સાથે મજબૂત અને સભ્ય સંબંધો ઇચ્છે છે. જો ભારત એક ડગલું આગળ ભરશે તો અમે બે ડગલાં આગળ વધીશું. હું જ્યારે પણ ભારત જતો ત્યારે લોકો મને કહેતાં કે પાકિસ્તાની સેનાને શાંતિમાં રસ નથી. હું તમને કહું છું કે, પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે હું, મારી પાર્ટી, અન્ય રાજકીય પાર્ટીઓ અને અમારી સેના ઇચ્છે છે કે ભારત સાથેના સંબંધોમાં સુધારો થાય. અમે ભારત સાથે સભ્ય સંબંધો ઇચ્છીએ છીએ. ઇમરાને કહ્યું કે, ભારત અને પાકિસ્તાને સારા પાડોશી બનવા મતભેદોનો ઉકેલ લાવવો જ જોઈએ.