લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓ દરેક સીટ પર પોતાના ઉમેદવારો સમજી વિચારીને મેદાનમાં ઉતારી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઇને પરેશ રાવલે મોટી જાહેરાત કરી છે. પરેશ રાવલ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડેલા પરેશ રાવલ ભારે મતોથી જીત્યા હતા.
પરેશ રાવલે જણાવ્યું હતું કે, રાજકારણમાં લોકોને વધારે સમય આપવો પડે છે જે હું મારી ફિલ્મોને કારણે આપી શકતો નથી. તેથી હું ચૂંટણી નહીં લડુ. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું હંમેશા PM મોદીનું સમર્થન કરતો રહીશ. જોકે, ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે પરેશ રાવલને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે.
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓ દરેક સીટ પર પોતાના ઉમેદવારો સમજી વિચારીને મેદાનમાં ઉતારી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઇને પરેશ રાવલે મોટી જાહેરાત કરી છે. પરેશ રાવલ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડેલા પરેશ રાવલ ભારે મતોથી જીત્યા હતા.
પરેશ રાવલે જણાવ્યું હતું કે, રાજકારણમાં લોકોને વધારે સમય આપવો પડે છે જે હું મારી ફિલ્મોને કારણે આપી શકતો નથી. તેથી હું ચૂંટણી નહીં લડુ. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું હંમેશા PM મોદીનું સમર્થન કરતો રહીશ. જોકે, ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે પરેશ રાવલને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે.