-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 52મા મન કી બાત એપિસોડમાં રમતગમત, ચૂંટણી પંચ, સુભાષચન્દ્ર બોઝ સહિત કવિવર રવિન્દ્રનાથ ટાગોર વિષયોને આવરીને પોતાના મનની વાત કરી હતી. તેમણે 21મી સદી એટલે કે 2001માં જન્મેલા યુવાનો કે જેમને 18 વર્ષ પૂરા થયા હોય તેમને ઉદ્દેશીને કહ્યું કે આ ચૂંટણીમાં 21મી સદીમાં જન્મ લેનારાઓને મતદાનની તક મળવાની છે ત્યારે જે યુવાઓ 18 વર્ષ પૂરા કર્યા હોય તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ મતદાર તરીકે નોંધાવે અને ચૂંટણીમાં ચોક્કસ મતદાન કરે. જેથી તેઓ દેશના નિર્માણ પ્રક્રિયામાં પોતાનું યોગદાન આપી શકે. ચૂંટણી પંચના સંદર્ભમાં તેમણે દેશવાસીઓને યાદ અપાવ્યું કે 25 જાન્યુ.નો દિવસ પંચની સ્થાપનાનો છે અને તે વોટર્સ ડે એટલે કે મતદાતા દિન તરીકે પણ ઉજવાય છે ત્યારે પંચ દ્વારા દરિયાની સપાટીથી 15 હજાર ફૂટ ઉંચે અને આંદામાન-નિકોબારમાં દૂર દરાજના ટાપુઓ પર પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે તે અભિનંદનને પાત્ર છે. પંચની આવી કામગીરીની નાગરીકોએ હકારાત્મક નેંધ લેવી જોઇએ.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 52મા મન કી બાત એપિસોડમાં રમતગમત, ચૂંટણી પંચ, સુભાષચન્દ્ર બોઝ સહિત કવિવર રવિન્દ્રનાથ ટાગોર વિષયોને આવરીને પોતાના મનની વાત કરી હતી. તેમણે 21મી સદી એટલે કે 2001માં જન્મેલા યુવાનો કે જેમને 18 વર્ષ પૂરા થયા હોય તેમને ઉદ્દેશીને કહ્યું કે આ ચૂંટણીમાં 21મી સદીમાં જન્મ લેનારાઓને મતદાનની તક મળવાની છે ત્યારે જે યુવાઓ 18 વર્ષ પૂરા કર્યા હોય તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ મતદાર તરીકે નોંધાવે અને ચૂંટણીમાં ચોક્કસ મતદાન કરે. જેથી તેઓ દેશના નિર્માણ પ્રક્રિયામાં પોતાનું યોગદાન આપી શકે. ચૂંટણી પંચના સંદર્ભમાં તેમણે દેશવાસીઓને યાદ અપાવ્યું કે 25 જાન્યુ.નો દિવસ પંચની સ્થાપનાનો છે અને તે વોટર્સ ડે એટલે કે મતદાતા દિન તરીકે પણ ઉજવાય છે ત્યારે પંચ દ્વારા દરિયાની સપાટીથી 15 હજાર ફૂટ ઉંચે અને આંદામાન-નિકોબારમાં દૂર દરાજના ટાપુઓ પર પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે તે અભિનંદનને પાત્ર છે. પંચની આવી કામગીરીની નાગરીકોએ હકારાત્મક નેંધ લેવી જોઇએ.