-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મતવિસ્તાર વારાણસીમાં મુલાકાતના બીજા દિવસે કરેલા સંબોધનમાં એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર 2022 સુધીમાં સમગ્ર દેશમાં તમામને પોતાનું ઘરનું ઘર પૂરૂ પાડશે. તેમણે કહ્યું કે આ કામ જરા મુશ્કેલ છે. પરંતુ આ પ્રકારનું મુશ્કેલ કામ જો મોદી નહીં કરે તો બીજુ કોણ કરશે? એવો સવાલ પણ તેમણે પોતાની જાતને કર્યો હતો.તેમણે યુપીમાં અગાઉની સપાની સરકાર પર આક્ષેપ કર્યો હતો કે અખિલેશની સરકાર ગરીબોને મકાન આપવા માંગતી નહોતી. તેમણે સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો અને તેમના મતવિસ્તારમાં શૌચાલયને ઇજ્જત ઘર એવું નામ અપાયું તેની ભારોભાર પ્રશંસા કરી હતી.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મતવિસ્તાર વારાણસીમાં મુલાકાતના બીજા દિવસે કરેલા સંબોધનમાં એવી ખાતરી આપી હતી કે તેમની સરકાર 2022 સુધીમાં સમગ્ર દેશમાં તમામને પોતાનું ઘરનું ઘર પૂરૂ પાડશે. તેમણે કહ્યું કે આ કામ જરા મુશ્કેલ છે. પરંતુ આ પ્રકારનું મુશ્કેલ કામ જો મોદી નહીં કરે તો બીજુ કોણ કરશે? એવો સવાલ પણ તેમણે પોતાની જાતને કર્યો હતો.તેમણે યુપીમાં અગાઉની સપાની સરકાર પર આક્ષેપ કર્યો હતો કે અખિલેશની સરકાર ગરીબોને મકાન આપવા માંગતી નહોતી. તેમણે સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો અને તેમના મતવિસ્તારમાં શૌચાલયને ઇજ્જત ઘર એવું નામ અપાયું તેની ભારોભાર પ્રશંસા કરી હતી.