-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં દક્ષિણ બેંગલુરૂથી પણ લોકસભાની ચૂંટણી લડીને દક્ષિણ ભારતની બેઠકો પર ભાજપનો પ્રભાવ પાડવાની રણનીતિ અપનાવે તેવા અહેવાલોની વચ્ચે હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવે તેમ છે. અમેઠીમાં તેમની સામે ભાજપે ફરીથી સ્મૃતિ ઇરાનીને અજમાવી છે. જેઓ 2014માં રાહુલની સામે હારી ગયા હતા. રાહુલ પણ મોદીની જેમ દક્ષિણ ભારતમાં કોંગ્રેસનો પ્રભાવ વધારવા માટે કેરળથી ઉમેદવારી નોંધાવે તેવી માંગ કેરળ કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે. જો તેમ થશે તો બે મોટા નેતાઓ ઉત્તર ભારત(ઉ.ભા.)ની સાથે દક્ષિણ ભારત(દ.ભા.)થી પણ ઉભા રહેશે અને નવા રાજકીય સમીકરણો સર્જાઇ શકે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં દક્ષિણ બેંગલુરૂથી પણ લોકસભાની ચૂંટણી લડીને દક્ષિણ ભારતની બેઠકો પર ભાજપનો પ્રભાવ પાડવાની રણનીતિ અપનાવે તેવા અહેવાલોની વચ્ચે હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવે તેમ છે. અમેઠીમાં તેમની સામે ભાજપે ફરીથી સ્મૃતિ ઇરાનીને અજમાવી છે. જેઓ 2014માં રાહુલની સામે હારી ગયા હતા. રાહુલ પણ મોદીની જેમ દક્ષિણ ભારતમાં કોંગ્રેસનો પ્રભાવ વધારવા માટે કેરળથી ઉમેદવારી નોંધાવે તેવી માંગ કેરળ કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે. જો તેમ થશે તો બે મોટા નેતાઓ ઉત્તર ભારત(ઉ.ભા.)ની સાથે દક્ષિણ ભારત(દ.ભા.)થી પણ ઉભા રહેશે અને નવા રાજકીય સમીકરણો સર્જાઇ શકે.