-
પૂર્વોત્તરનો પ્રવાસ પૂરો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ તરફ મોરચો માંડ્યો હતો અને આંધ્રપ્રદેશના ગૂન્ટુરમાં એક સમયના સાથી પક્ષ ટીડીપીના ચંદ્રાબાબુ નાયડૂ પર વ્યક્તિગત પ્રહારો કરવામાં કોઇ કસર રાખી નહોતી. રાજકીય આરોપો કરતાં કરતાં વડાપ્રધાને નાયડૂ પર સીધો હુમલો કર્યો કે તમે સિનિયર છો પક્ષ બદલવામાં, તમે સિનિયર છો એક પછી એક ચૂંટણી હારવામાં, તમે સિનિયર છો આંધ્રના સપનાઓને ચૂર ચૂર કરવામાં અને તમે સિનિયર છો પોતાના જ સસરા(એન.ટી.રામારાવ-ટીડીપીની સ્થાપક)ની છાતીમાં છૂરો હુલાવી દેવામાં...! થોડાક સમય પહેલા ટીડીપી એનડીએ સરકારમાં હતી અને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન મોદીએ નહીં પાળતા નાયડૂ સરકારમાંથી નિકળી જવાનું પસંદ કર્યું હતું.(ફાઇલ તસ્વીરઃ ચંદ્રાબાબુ અને તેમના સસરા એનટી રામારાવ)
-
પૂર્વોત્તરનો પ્રવાસ પૂરો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ તરફ મોરચો માંડ્યો હતો અને આંધ્રપ્રદેશના ગૂન્ટુરમાં એક સમયના સાથી પક્ષ ટીડીપીના ચંદ્રાબાબુ નાયડૂ પર વ્યક્તિગત પ્રહારો કરવામાં કોઇ કસર રાખી નહોતી. રાજકીય આરોપો કરતાં કરતાં વડાપ્રધાને નાયડૂ પર સીધો હુમલો કર્યો કે તમે સિનિયર છો પક્ષ બદલવામાં, તમે સિનિયર છો એક પછી એક ચૂંટણી હારવામાં, તમે સિનિયર છો આંધ્રના સપનાઓને ચૂર ચૂર કરવામાં અને તમે સિનિયર છો પોતાના જ સસરા(એન.ટી.રામારાવ-ટીડીપીની સ્થાપક)ની છાતીમાં છૂરો હુલાવી દેવામાં...! થોડાક સમય પહેલા ટીડીપી એનડીએ સરકારમાં હતી અને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન મોદીએ નહીં પાળતા નાયડૂ સરકારમાંથી નિકળી જવાનું પસંદ કર્યું હતું.(ફાઇલ તસ્વીરઃ ચંદ્રાબાબુ અને તેમના સસરા એનટી રામારાવ)