વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચશે. વડાપ્રધાનનો આ પ્રવાસ એક દિવસનો છે. લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ વડાપ્રધાનનો આ બીજો વારાણસી પ્રવાસ છે. સવારે લગભગ 10.30 કલાકે વડાપ્રધાન મોદી લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચશે.
એરપોર્ટ બહાર પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કરશે. પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ લગભગ 11 કલાકે પીએમ હરહુઆના પંચકોશી માર્ગ પર પહોંચશે. પંચકોશી માર્ગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીપળાનો રોપો વાવીને વૃક્ષારોપણ અભિયાનની પણ શરૂઆત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચશે. વડાપ્રધાનનો આ પ્રવાસ એક દિવસનો છે. લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ વડાપ્રધાનનો આ બીજો વારાણસી પ્રવાસ છે. સવારે લગભગ 10.30 કલાકે વડાપ્રધાન મોદી લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચશે.
એરપોર્ટ બહાર પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કરશે. પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ લગભગ 11 કલાકે પીએમ હરહુઆના પંચકોશી માર્ગ પર પહોંચશે. પંચકોશી માર્ગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીપળાનો રોપો વાવીને વૃક્ષારોપણ અભિયાનની પણ શરૂઆત કરશે.