-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહિનાના છેલ્લા રવિવારે 49મી વખત મન કી બાત રેડિયો દ્વારા રજૂ કરીને 31 ઓક્ટોબરના રોજ ઉજવનાર સરદાર જયંતી કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો અને તે દિવસે આયોજીત રન ફોર યુનિટીના કાર્યક્રમમાં મોટી સંખ્યમાં યુવાનો ઉમટી પડે એવી હાકલ કરી હતી. તેમણે ગુજરાતમાં 31મીએ તેઓ સરદારની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવાના છે તેની પણ માહિતી આપીને સરદાર પટેલને 31 પહેલાંજ શબ્દાંજલિ આપીને કહ્યું હતું કે અંગ્રેજો ભારતની અલગ-થલગ હાલમાં છોડીને જવા માંગતા હતા પરંતુ સરદારે 500 કરતાં વધારે દેશી રાજા-રજવાડાઓને ભારતની સાથે જોડીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તેને દેશ કાયમ યાદ રાખશે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહિનાના છેલ્લા રવિવારે 49મી વખત મન કી બાત રેડિયો દ્વારા રજૂ કરીને 31 ઓક્ટોબરના રોજ ઉજવનાર સરદાર જયંતી કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો અને તે દિવસે આયોજીત રન ફોર યુનિટીના કાર્યક્રમમાં મોટી સંખ્યમાં યુવાનો ઉમટી પડે એવી હાકલ કરી હતી. તેમણે ગુજરાતમાં 31મીએ તેઓ સરદારની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવાના છે તેની પણ માહિતી આપીને સરદાર પટેલને 31 પહેલાંજ શબ્દાંજલિ આપીને કહ્યું હતું કે અંગ્રેજો ભારતની અલગ-થલગ હાલમાં છોડીને જવા માંગતા હતા પરંતુ સરદારે 500 કરતાં વધારે દેશી રાજા-રજવાડાઓને ભારતની સાથે જોડીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તેને દેશ કાયમ યાદ રાખશે.