ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણીનો ખૂબ જ આક્રમક અંદાજમાં પ્રચાર શરૂ કરી દીધો છે. PM મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી 3.45 મિનિટનો એક વીડિયો રજૂ કર્યો છે અને ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈનની શરૂઆત કરી છે. આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 31મી માર્ચના રોજ સાંજે 6 વાગ્યે પીએમ મોદી સાથે જોડાવાનું આહ્વાન પણ આ વીડિયોના અંતમાં કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ કેમ્પેઇનમાં જોડાનારને PM મોદી વ્યક્તિગત રીતે જવાબ આપશે.
PM મોદીએ ટ્વીટ કરી કહ્યું છે કે, ‘તમારો ચોકીદાર ડગ્યા વગર ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે. પરંતુ અહીં હું એકલો નથી. દરેક વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બુરાઇથી લડી રહ્યો છે તે ચોકીદાર જ છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યા છે #MainBhichowkidar’
મહત્વનું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ‘ચોકીદાર ચોર હૈ’ના આરોપ મૂકી રહ્યાં છે. ત્યારે PM મોદીએ તેની સામે આ કેમ્પેઇન શરુ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જણાવી દઈએ કે, ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલી આચારસંહિતામાં સેના, પુલવામા હુમલો અને અભિનંદનની દેશ વાપસી જેવા મુદ્દાઓનો પ્રચાર કે ચૂંટણીલક્ષી ઉપયોગ કરવાની રાજકીય પક્ષોને મનાઈ ફરમાવવામાં આવી છે. તેમ છતા PM મોદીએ કરેલા ટ્વીટમાં સેના અને તેને લગતા દ્રશ્યો બતાવીને આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે કોંગ્રેસ ચૂંટણી પંચમાં PM મોદી વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણીનો ખૂબ જ આક્રમક અંદાજમાં પ્રચાર શરૂ કરી દીધો છે. PM મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી 3.45 મિનિટનો એક વીડિયો રજૂ કર્યો છે અને ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈનની શરૂઆત કરી છે. આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 31મી માર્ચના રોજ સાંજે 6 વાગ્યે પીએમ મોદી સાથે જોડાવાનું આહ્વાન પણ આ વીડિયોના અંતમાં કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ કેમ્પેઇનમાં જોડાનારને PM મોદી વ્યક્તિગત રીતે જવાબ આપશે.
PM મોદીએ ટ્વીટ કરી કહ્યું છે કે, ‘તમારો ચોકીદાર ડગ્યા વગર ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે. પરંતુ અહીં હું એકલો નથી. દરેક વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બુરાઇથી લડી રહ્યો છે તે ચોકીદાર જ છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યા છે #MainBhichowkidar’
મહત્વનું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ‘ચોકીદાર ચોર હૈ’ના આરોપ મૂકી રહ્યાં છે. ત્યારે PM મોદીએ તેની સામે આ કેમ્પેઇન શરુ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જણાવી દઈએ કે, ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલી આચારસંહિતામાં સેના, પુલવામા હુમલો અને અભિનંદનની દેશ વાપસી જેવા મુદ્દાઓનો પ્રચાર કે ચૂંટણીલક્ષી ઉપયોગ કરવાની રાજકીય પક્ષોને મનાઈ ફરમાવવામાં આવી છે. તેમ છતા PM મોદીએ કરેલા ટ્વીટમાં સેના અને તેને લગતા દ્રશ્યો બતાવીને આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે કોંગ્રેસ ચૂંટણી પંચમાં PM મોદી વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.