-
દિલ્હીના નોર્થ એવેન્યૂ પોલીસ મથકમાં રાફેલ સોદાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ પ.બંગાળમાં જલપાઇગુડ્ડીમાં વડાપ્રધાન સાને પોલીસ કેસ નોંધાયો છે પણ આ કેસ રાફેલના મામલે નહીં પણ મોદીએ નેશનલ હાઇવે નં. 32-ડી સેક્શન પર હાઇવેના એક પ્રોજેક્ટનું ઉદધાટન કર્યું તેની સરકારી જાહેરાતમાં મમતા બેનર્જીના પક્ષના સ્થાનિક એમપી અને એમએલએના નામો અને ફોટાઓનો ઉપયોગ કર્યો તે બદલ તેમની સામે મમતાના પક્ષના આ આગેવાનોએ એવી ફરિયાદ નોંધાવી છે કે આ હાઇવે પ્રોજેક્ટની જાહેરખબરમાં તેમની સંમતિ વગર જ તેમના નામો અને ઉલ્લેખ કરાયો છે જે યોગ્ય નથી. કેમ કે પ્રજામાં એવો સંદેશો જાય કે પક્ષના સીએમ મમતા મોદીનો વિરોધ કરે છે અને તેમના પક્ષના ચૂંટાયેલા આગેવાનો મોદી સાથે સરકારી કાર્યક્રમોમાં ભાગ લે છે. અલીપુરદૌર પોલીસ સ્ટેશનમાં મમતાના પક્ષના ધારાસભ્ય સૌરવ ચક્રબોર્તીએ મોદી અને નેશનલ હાઇવે ઓથોરીટીની સામે ફરિયાદ કરી છે.
-
દિલ્હીના નોર્થ એવેન્યૂ પોલીસ મથકમાં રાફેલ સોદાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ પ.બંગાળમાં જલપાઇગુડ્ડીમાં વડાપ્રધાન સાને પોલીસ કેસ નોંધાયો છે પણ આ કેસ રાફેલના મામલે નહીં પણ મોદીએ નેશનલ હાઇવે નં. 32-ડી સેક્શન પર હાઇવેના એક પ્રોજેક્ટનું ઉદધાટન કર્યું તેની સરકારી જાહેરાતમાં મમતા બેનર્જીના પક્ષના સ્થાનિક એમપી અને એમએલએના નામો અને ફોટાઓનો ઉપયોગ કર્યો તે બદલ તેમની સામે મમતાના પક્ષના આ આગેવાનોએ એવી ફરિયાદ નોંધાવી છે કે આ હાઇવે પ્રોજેક્ટની જાહેરખબરમાં તેમની સંમતિ વગર જ તેમના નામો અને ઉલ્લેખ કરાયો છે જે યોગ્ય નથી. કેમ કે પ્રજામાં એવો સંદેશો જાય કે પક્ષના સીએમ મમતા મોદીનો વિરોધ કરે છે અને તેમના પક્ષના ચૂંટાયેલા આગેવાનો મોદી સાથે સરકારી કાર્યક્રમોમાં ભાગ લે છે. અલીપુરદૌર પોલીસ સ્ટેશનમાં મમતાના પક્ષના ધારાસભ્ય સૌરવ ચક્રબોર્તીએ મોદી અને નેશનલ હાઇવે ઓથોરીટીની સામે ફરિયાદ કરી છે.