-
કોંગ્રેસે લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધી-વાઢેરાને ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે રાજકીય ક્ષેત્રે હવે દબાતા હોઠે એમ ચર્ચા છે કે સપા-બસપાના ગઠબંધનના પગલે આઇએએસ ચંદ્રકલાના માધ્યમથી અખિલેશ યાદવને ઘેરવા તપાસ એજન્સીઓ સીબીઆઇ અને ઇડીના દરોડા પડ્યા તેમ હવે પ્રિયંકાના પતિ રોબર્ટ વાઢેરા સામેના કેસોમાં એજન્સીઓને ખડે પગે રહેવા અને દરોડા માટે કહેવામાં આવે તો નવાઇ નહીં. વાઢેરાની સામે જમીનના કેસો થયેલા છે. 2014માં ભાજપ અને નરેન્દ્ર મોદીએ મતદારોને ખાતરી આપી હતી કે તેમને સત્તા મળતાં જ જમાઇરાજ-વાઢેરા જેલમાં જશે. પરંતુ મોદી સરકારના પાંચ વર્ષ પૂરા થવા આવ્યાં છતાં વાઢેરા જેલમાં નહીં પણ બહાર છે. જો કે પ્રિયંકાની રાજકીય એન્ટ્રીના પગલે કોંગ્રેસ પર ધોંસ વધારવા મોદી સરકાર વાઢેરા કેસોમાં ઝડપ લાવી શકે છે. અને તપાસ એજન્સીઓ પણ, રાજકીય સૂત્રોના મતે સમજી ગઇ હશે કે હવે તેમને વાઢેરા કેસ અંગે વધારે દોડવુ પડે તો નવાઇ નહીં...!?
-
કોંગ્રેસે લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધી-વાઢેરાને ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે રાજકીય ક્ષેત્રે હવે દબાતા હોઠે એમ ચર્ચા છે કે સપા-બસપાના ગઠબંધનના પગલે આઇએએસ ચંદ્રકલાના માધ્યમથી અખિલેશ યાદવને ઘેરવા તપાસ એજન્સીઓ સીબીઆઇ અને ઇડીના દરોડા પડ્યા તેમ હવે પ્રિયંકાના પતિ રોબર્ટ વાઢેરા સામેના કેસોમાં એજન્સીઓને ખડે પગે રહેવા અને દરોડા માટે કહેવામાં આવે તો નવાઇ નહીં. વાઢેરાની સામે જમીનના કેસો થયેલા છે. 2014માં ભાજપ અને નરેન્દ્ર મોદીએ મતદારોને ખાતરી આપી હતી કે તેમને સત્તા મળતાં જ જમાઇરાજ-વાઢેરા જેલમાં જશે. પરંતુ મોદી સરકારના પાંચ વર્ષ પૂરા થવા આવ્યાં છતાં વાઢેરા જેલમાં નહીં પણ બહાર છે. જો કે પ્રિયંકાની રાજકીય એન્ટ્રીના પગલે કોંગ્રેસ પર ધોંસ વધારવા મોદી સરકાર વાઢેરા કેસોમાં ઝડપ લાવી શકે છે. અને તપાસ એજન્સીઓ પણ, રાજકીય સૂત્રોના મતે સમજી ગઇ હશે કે હવે તેમને વાઢેરા કેસ અંગે વધારે દોડવુ પડે તો નવાઇ નહીં...!?