વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જર્મનીના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ૧૨ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાયબર નીતિ, વિકાસ કાર્યક્રમો, સ્થિર શહેરી વિકાસ, મેનેજર અને કૌૈશલ્ય ધરાવતા કર્મચારીઓને તાલીમ, ડિજિટલાઇઝેશન, રેલવે સુરક્ષા અને વોકેશનલ ટ્રેનિંગનો પ્રસાર વધારવા જેવા ક્ષેત્રોમાં ૧૨ કરાર કરવામાં આવ્યા હતાં. બર્લિનમાં જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિશ્વની સમક્ષ આતંકવાદ સહિત અનેક સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો સામનો કરવા માટે માનવતાવાદી શક્તિઓએ એક જૂથ થવું પડશે. વડાપ્રધાન મોદીએ જર્મનીને સંબોધીને જણાવ્યું હતું કે આપણે એકબીજા માટે બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જર્મનીના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ૧૨ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાયબર નીતિ, વિકાસ કાર્યક્રમો, સ્થિર શહેરી વિકાસ, મેનેજર અને કૌૈશલ્ય ધરાવતા કર્મચારીઓને તાલીમ, ડિજિટલાઇઝેશન, રેલવે સુરક્ષા અને વોકેશનલ ટ્રેનિંગનો પ્રસાર વધારવા જેવા ક્ષેત્રોમાં ૧૨ કરાર કરવામાં આવ્યા હતાં. બર્લિનમાં જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિશ્વની સમક્ષ આતંકવાદ સહિત અનેક સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો સામનો કરવા માટે માનવતાવાદી શક્તિઓએ એક જૂથ થવું પડશે. વડાપ્રધાન મોદીએ જર્મનીને સંબોધીને જણાવ્યું હતું કે આપણે એકબીજા માટે બન્યા છે.