Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે શુક્રવારે એવો સંકેત આપ્યો છે કે નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી બાદ ચલણમાં મુકાયેલી રૂપિયા ૨,૦૦૦ની નોટનું છાપકામ હાલપૂરતું બંધ કરી દેવાયું છે. બજારમાં રૂપિયા ૨,૦૦૦ની નોટ પૂરતા પ્રમાણમાં હોવાથી આ નિર્ણય લેવાયો છે. આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું હતું કે, સરકાર જરૂરિયાત પ્રમાણે નોટો છાપવાનો નિર્ણય લેતી હોય છે. હાલ સિસ્ટમમાં ફરતી કુલ ચલણી નોટોનાં મૂલ્યના ૩૫ ટકા કરતાં વધુ રૂપિયાની ૨,૦૦૦ની નોટ ફરી રહી છે, તેથી તાજેતરમાં રૂપિયા ૨,૦૦૦ની નવી નોટો છાપવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આ અગાઉ નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક દ્વારા ૨,૦૦૦ની ઓછામાં ઓછી નોટ છાપવામાં આવી રહી છે.

૩,૨૮,૫૦,૦૦,૦૦૦ માર્ચ ૨૦૧૭માં ૨,૦૦૦ની નોટ બજારમાં હતી

૩,૩૬,૩૦,૦૦,૦૦૦ માર્ચ ૨૦૧૮માં ૨,૦૦૦ની નોટ બજારમાં હતી

કેન્દ્ર સરકારે શુક્રવારે એવો સંકેત આપ્યો છે કે નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી બાદ ચલણમાં મુકાયેલી રૂપિયા ૨,૦૦૦ની નોટનું છાપકામ હાલપૂરતું બંધ કરી દેવાયું છે. બજારમાં રૂપિયા ૨,૦૦૦ની નોટ પૂરતા પ્રમાણમાં હોવાથી આ નિર્ણય લેવાયો છે. આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું હતું કે, સરકાર જરૂરિયાત પ્રમાણે નોટો છાપવાનો નિર્ણય લેતી હોય છે. હાલ સિસ્ટમમાં ફરતી કુલ ચલણી નોટોનાં મૂલ્યના ૩૫ ટકા કરતાં વધુ રૂપિયાની ૨,૦૦૦ની નોટ ફરી રહી છે, તેથી તાજેતરમાં રૂપિયા ૨,૦૦૦ની નવી નોટો છાપવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આ અગાઉ નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક દ્વારા ૨,૦૦૦ની ઓછામાં ઓછી નોટ છાપવામાં આવી રહી છે.

૩,૨૮,૫૦,૦૦,૦૦૦ માર્ચ ૨૦૧૭માં ૨,૦૦૦ની નોટ બજારમાં હતી

૩,૩૬,૩૦,૦૦,૦૦૦ માર્ચ ૨૦૧૮માં ૨,૦૦૦ની નોટ બજારમાં હતી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ