-
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે જાહેર પ્રચાર પડઘમ આજે 21 એપ્રિલના રોજ સાંજથી શાંત થઇ ગયા છે. ચૂંટણીના નિયમો પ્રમાણે મતદાન સુધી હવે રાજકીય પક્ષો કો ઉમેદવારો જાહેરમાં રેલીકે સભા કે બેઠકો યોજીને પ્રચાર નહીં કરી શકે. 23મીએ સવારે મતદાન શરૂ થાય ત્યાં સુધી રાજકીય પક્ષો કે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરીને વોટ માંગી શક્શે. મતદાન પુરૂ થયાના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પડઘમ શાંત (સાયલન્સ પિરિયડ) થાય છે. પરંતુ અસલમાં મતદાનના દિવસે પ્રચાર કરવાને બદલે મતદાન માટેની અપીલ થતી હોય છે એમ કહીને સૂત્રોએ કહ્યું કે એક રીતે જોઇએ તો આજે સાંજના 5 વાગ્યાથી લઇને 23મીની સવાર કે 22મીની મોડી રાત સુધીના સમયગાળામાં મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક થશે. 26 બેઠકો માટે 51 હજાર મતદાન મથકો છે. તેમાંથી અંદાજે 20 હજાર પતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. કુલ 4.5 કરોડ મતદારો નોંધાયેલા છે. 26 બેઠકોમાટે 371 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે. 26માં ગાંધીનગરની બેઠકને રાજકીય રીતે વીવીઆઇપી માનવામાં આવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બેઠકના ઉમેદવાર છે.
-
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે જાહેર પ્રચાર પડઘમ આજે 21 એપ્રિલના રોજ સાંજથી શાંત થઇ ગયા છે. ચૂંટણીના નિયમો પ્રમાણે મતદાન સુધી હવે રાજકીય પક્ષો કો ઉમેદવારો જાહેરમાં રેલીકે સભા કે બેઠકો યોજીને પ્રચાર નહીં કરી શકે. 23મીએ સવારે મતદાન શરૂ થાય ત્યાં સુધી રાજકીય પક્ષો કે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરીને વોટ માંગી શક્શે. મતદાન પુરૂ થયાના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પડઘમ શાંત (સાયલન્સ પિરિયડ) થાય છે. પરંતુ અસલમાં મતદાનના દિવસે પ્રચાર કરવાને બદલે મતદાન માટેની અપીલ થતી હોય છે એમ કહીને સૂત્રોએ કહ્યું કે એક રીતે જોઇએ તો આજે સાંજના 5 વાગ્યાથી લઇને 23મીની સવાર કે 22મીની મોડી રાત સુધીના સમયગાળામાં મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક થશે. 26 બેઠકો માટે 51 હજાર મતદાન મથકો છે. તેમાંથી અંદાજે 20 હજાર પતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. કુલ 4.5 કરોડ મતદારો નોંધાયેલા છે. 26 બેઠકોમાટે 371 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે. 26માં ગાંધીનગરની બેઠકને રાજકીય રીતે વીવીઆઇપી માનવામાં આવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બેઠકના ઉમેદવાર છે.