ટેકાના ભાવે કઠોળ ખરીદવાની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવવાની વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જાહેરાત કરી છે. તાપી જિલ્લાના બાજબપુરા ખાતે ખેડૂતો, પશુપાલકો અને આદિવાસીઓની વિશાળ જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે અસંખ્ય ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે દેશના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કઠોળ ખરીદવાની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવી છે.