-
કેરળના જાણીતા સબરીમાલા મંદિરમાં આખરે 40 વર્ષની વયની બે મહિલાઓ સદીઓ જુની પરંપરા તોડવામાં સફળ રહી અને મુશ્કેલભરી રીતે મંદિરમાં પ્રવેશ કરીને ભગવાન અય્યપનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જો કે યુવાન વયની આ મહિલાઓના પ્રવેશથી મંદિર અભડાઇ ગયું એમ કહીને મંદિરનું શુધ્ધિકરણ કરવામાં આવ્યું હતું. સુપ્રિમ કોર્ટે માત્ર મોટી વયની અને નાની વયની જ નહીં પણ તમામ વયની મહિલાઓને આ મંદિરમાં પ્રવેશ માટે આદેશ આપ્યો તેમ છતાં મંદિર અને ભાજપના કાર્યકરો તમામ વયની મહિલાઓને રોકે છે. આ મંદિરમાં દિવસોથી પોલીસનો કાફલો ખડકાયેલો છે. આ પોલીસ કાફલા વચ્ચે બે સાદી વર્દીમાં આવેલી અંદાજે 40 વર્ષની ઉંમરની મહિલાઓએ અડધી રાત્રે પહાડ પર ચઢાઇ કરી અને પવિત્ર ગણાતી મંદિરની સીડીઓ ચઢીને મંદિરમાં પ્રવેશ કર્યો , દર્શન કર્યા અને ત્યાંથી ચુપચાપ રવાના થઇ તે સાથે આ મંદિરમાં 9થી 50 વર્ષની વયની મહિલાઓને પ્રવેશ નહીં આપવાની સદીઓ જુની પરંપરા પણ તૂટી હતી.
-
કેરળના જાણીતા સબરીમાલા મંદિરમાં આખરે 40 વર્ષની વયની બે મહિલાઓ સદીઓ જુની પરંપરા તોડવામાં સફળ રહી અને મુશ્કેલભરી રીતે મંદિરમાં પ્રવેશ કરીને ભગવાન અય્યપનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જો કે યુવાન વયની આ મહિલાઓના પ્રવેશથી મંદિર અભડાઇ ગયું એમ કહીને મંદિરનું શુધ્ધિકરણ કરવામાં આવ્યું હતું. સુપ્રિમ કોર્ટે માત્ર મોટી વયની અને નાની વયની જ નહીં પણ તમામ વયની મહિલાઓને આ મંદિરમાં પ્રવેશ માટે આદેશ આપ્યો તેમ છતાં મંદિર અને ભાજપના કાર્યકરો તમામ વયની મહિલાઓને રોકે છે. આ મંદિરમાં દિવસોથી પોલીસનો કાફલો ખડકાયેલો છે. આ પોલીસ કાફલા વચ્ચે બે સાદી વર્દીમાં આવેલી અંદાજે 40 વર્ષની ઉંમરની મહિલાઓએ અડધી રાત્રે પહાડ પર ચઢાઇ કરી અને પવિત્ર ગણાતી મંદિરની સીડીઓ ચઢીને મંદિરમાં પ્રવેશ કર્યો , દર્શન કર્યા અને ત્યાંથી ચુપચાપ રવાના થઇ તે સાથે આ મંદિરમાં 9થી 50 વર્ષની વયની મહિલાઓને પ્રવેશ નહીં આપવાની સદીઓ જુની પરંપરા પણ તૂટી હતી.