Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ રજૂ થતાં ભાજપના નેતાઓ કાર્યકારી નાણાપ્રધાન પીયૂષ ગોયલને અભિનંદન આપી રહ્યા છે ત્યારે વિરોધપક્ષ કહી રહ્યા છે કે સરકારે ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું છે. કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની સરકારની આલોચના કરતાં કહ્યું હતું કે, ‘તમારી પાંચ વર્ષની બિનકાર્યક્ષમતાએ ખેડૂતોનાં જીવનને પાયમાલ કર્યાં છે, હવે તેને દૈનિક રૂપિયા ૧૭ના દરે નાણાં ચુકવણી એ તેમણે કરેલી મહેનતનું અપમાન છે.’ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બજેટ જાહેરાતોને જુમલા કહી હતી. પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહે જણાવ્યું હતું કે આ ચૂંટણીલક્ષી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાએ મોદી સરકારના બજેટ સામે અનેક સવાલ ઊભા કર્યા છે. આ બજેટ મત મેળવવા નાણાં વહેંચવા બરોબર છે. 
 

વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ રજૂ થતાં ભાજપના નેતાઓ કાર્યકારી નાણાપ્રધાન પીયૂષ ગોયલને અભિનંદન આપી રહ્યા છે ત્યારે વિરોધપક્ષ કહી રહ્યા છે કે સરકારે ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું છે. કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની સરકારની આલોચના કરતાં કહ્યું હતું કે, ‘તમારી પાંચ વર્ષની બિનકાર્યક્ષમતાએ ખેડૂતોનાં જીવનને પાયમાલ કર્યાં છે, હવે તેને દૈનિક રૂપિયા ૧૭ના દરે નાણાં ચુકવણી એ તેમણે કરેલી મહેનતનું અપમાન છે.’ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બજેટ જાહેરાતોને જુમલા કહી હતી. પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહે જણાવ્યું હતું કે આ ચૂંટણીલક્ષી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાએ મોદી સરકારના બજેટ સામે અનેક સવાલ ઊભા કર્યા છે. આ બજેટ મત મેળવવા નાણાં વહેંચવા બરોબર છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ