લોકસભાની ચૂંટણીના પહેલાં તબક્કાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા માટે મિનિમમ ઇન્કમ ગેરેંન્ટી યોજના જારી કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં વ્યાપેલી ગરીબી ઉપર કોંગ્રેસ દ્વારા અંતિમ અને આકરો પ્રહાર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશમાં લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસ દ્વારા દેશના ૨૦ ટકા ગરીબ પરિવારોને દર મહિને લઘુતમ આવક પેટે ૧૨,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
રાહુલ ગાંધીએ ન્યૂનતમ આય યોજના (NYAY)ની જાહેરાત કરતાં જણાવ્યું કે, દેશના ૨૦ ટકા ગરીબો એટલે અંદાજે પાંચ કરોડ ગરીબ પરિવારોને એટલે કે ૨૫ કરોડ લોકોને સરકાર દ્વારા મદદ કરવામાં આવશે. સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨,૦૦૦ આપવાની કોંગ્રેસ ગેરંટી આપે છે.
લોકસભાની ચૂંટણીના પહેલાં તબક્કાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા માટે મિનિમમ ઇન્કમ ગેરેંન્ટી યોજના જારી કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં વ્યાપેલી ગરીબી ઉપર કોંગ્રેસ દ્વારા અંતિમ અને આકરો પ્રહાર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશમાં લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસ દ્વારા દેશના ૨૦ ટકા ગરીબ પરિવારોને દર મહિને લઘુતમ આવક પેટે ૧૨,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
રાહુલ ગાંધીએ ન્યૂનતમ આય યોજના (NYAY)ની જાહેરાત કરતાં જણાવ્યું કે, દેશના ૨૦ ટકા ગરીબો એટલે અંદાજે પાંચ કરોડ ગરીબ પરિવારોને એટલે કે ૨૫ કરોડ લોકોને સરકાર દ્વારા મદદ કરવામાં આવશે. સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨,૦૦૦ આપવાની કોંગ્રેસ ગેરંટી આપે છે.