કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન ઉપર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ મૂક્યો છે. સંરક્ષણમંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(એચએએલ)ને એક લાખ કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો છે. સૂરજેવાલાએ જણાવ્યું કે, એચએએલને હજી સુધી તો કોઈ ઓર્ડર મળ્યો નથી. બીજી તરફ તે પોતાના કર્મચારીઓને પગાર પણ આપી શકવા સક્ષમ નથી અને તેના માટે દેવું કરી રહી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સંરક્ષણમંત્રીએ સોમવારે સંસદ પહેલાં ઓર્ડર સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જોઈએ અથવા તો રાજીનામું આપી દેવું જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન ઉપર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ મૂક્યો છે. સંરક્ષણમંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(એચએએલ)ને એક લાખ કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો છે. સૂરજેવાલાએ જણાવ્યું કે, એચએએલને હજી સુધી તો કોઈ ઓર્ડર મળ્યો નથી. બીજી તરફ તે પોતાના કર્મચારીઓને પગાર પણ આપી શકવા સક્ષમ નથી અને તેના માટે દેવું કરી રહી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સંરક્ષણમંત્રીએ સોમવારે સંસદ પહેલાં ઓર્ડર સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જોઈએ અથવા તો રાજીનામું આપી દેવું જોઈએ.