નાગરિકતા સુધાર બિલને આજે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. આ સમયે રાજ્યસભામાં નાગરિકતા સુધાર બિલ મુદ્દે આક્રમક ચર્ચા થઇ રહી હતી. મહત્વનું છે કે આ બિલ પ્રસ્તુત કરતી વખતે જયારે ગૃહમંત્રી અમિત શાહ એમ બોલ્યા કે ભાજપ સરકાર આસામી લોકોના હકોનું રક્ષણ કરશે ત્યારે વિપક્ષના નેતાઓ આક્રોશપૂર્વક શાહ ઉપર ભડક્યા હતા જેના પગલે રાજ્ય સભા TVએ થોડા સમય માટે પોતાનું પ્રસારણ અટકાવી દીધું હતું. આ પગલું રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુના આદેશથી લેવામાં આવ્યું હતું.
નાગરિકતા સુધાર બિલને આજે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. આ સમયે રાજ્યસભામાં નાગરિકતા સુધાર બિલ મુદ્દે આક્રમક ચર્ચા થઇ રહી હતી. મહત્વનું છે કે આ બિલ પ્રસ્તુત કરતી વખતે જયારે ગૃહમંત્રી અમિત શાહ એમ બોલ્યા કે ભાજપ સરકાર આસામી લોકોના હકોનું રક્ષણ કરશે ત્યારે વિપક્ષના નેતાઓ આક્રોશપૂર્વક શાહ ઉપર ભડક્યા હતા જેના પગલે રાજ્ય સભા TVએ થોડા સમય માટે પોતાનું પ્રસારણ અટકાવી દીધું હતું. આ પગલું રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુના આદેશથી લેવામાં આવ્યું હતું.