શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા કુંભમેળામાં આયોજિત પરમ ધર્મસંસદમાં બુધવારે રામમંદિર નિર્માણ માટે ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ આધારશિલા મૂકવાનો પ્રસ્તાવ પસાર કરાયો હતો. આ માટે સાધુ-સંન્યાસી અયોધ્યા કૂચ કરશે. પરમ ધર્મસંસદના પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ રામમંદિર નિર્માણનો પ્રારંભ થશે. મંદિરનિર્માણની જવાબદારી સાધુ-સંતો ઉપાડી લેશે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર જન્મભૂમિ છોડીને અન્ય સ્થળે મંદિરનું નિર્માણ કરવાનું કાવતરુંં ઘડી રહી છે. અમે અયોધ્યા જઈને રામજન્મભૂમિ પર મંદિરનો શિલાન્યાસ કરીશું.
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા કુંભમેળામાં આયોજિત પરમ ધર્મસંસદમાં બુધવારે રામમંદિર નિર્માણ માટે ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ આધારશિલા મૂકવાનો પ્રસ્તાવ પસાર કરાયો હતો. આ માટે સાધુ-સંન્યાસી અયોધ્યા કૂચ કરશે. પરમ ધર્મસંસદના પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ રામમંદિર નિર્માણનો પ્રારંભ થશે. મંદિરનિર્માણની જવાબદારી સાધુ-સંતો ઉપાડી લેશે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર જન્મભૂમિ છોડીને અન્ય સ્થળે મંદિરનું નિર્માણ કરવાનું કાવતરુંં ઘડી રહી છે. અમે અયોધ્યા જઈને રામજન્મભૂમિ પર મંદિરનો શિલાન્યાસ કરીશું.