પ્રસિદ્ધ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીસીસીઆઈમાં રચના વહીવટી સમિતિ (COA)ના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પોતાના આ રાજીનામાં પાછળનું કારણ વ્યક્તિગત કારણ બતાવીને પદ છોડવાની વાત કહી છે. રામચંદ્ર ગુહાએ સુપ્રીમ કોર્ટને પોતાને આ કમિટીના કાર્યભારમાંથી મુક્ત કરવાની મંજૂરી માંગી છે. આપને જણાવી દઇએ કે હાલ બીસીસીઆઈમાં હાલ બધું બરાબર ચાલી રહ્યું નથી.