પાટીદાર અનામત આંદોલન સિમિતના પૂર્વ કન્વિનર અને ત્યારબાદ ભાજપનો ખેસ ધારણ કરનાર રેશ્મા પટેલે આજે વિધિવત ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આ માટે મેં ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે. પત્રકાર પરિષદ સંબોધતા રેશ્માએ જણાવ્યું હતું કે, ઉપલેટાને મેં મારું નિવાસ સ્થાન બનાવ્યું છે. મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચને પત્ર પણ લખ્યો છે. હું તમામની સંપર્કમાં છું. જોકે, હું ભાજપમાંથી રાજીનામું આપું છું. જો અપક્ષ તરીકે લડવાનું થશે તો માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા એક સાથે લડીશ.
વધુમાં રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, તેમણે લલિત વસોયાને વિનંતી કરી છે અને કહ્યું છે કે જો ભાજપને પાડવું હશે તો એક થઇને લડવું પડશે. ભાજપનો ખેસ કુરિયર દ્વારા પરત કરું છું. પત્ર પણ કુરિયર કરી કમલમ મોકલાવીશ તેવું તેમણે ઉમેર્યું હતું.
આમ, આડકતરી રીતે કોંગ્રેસનો છૂપી રીતે સાથ આપવાના અણસાર વર્તાઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
પાટીદાર અનામત આંદોલન સિમિતના પૂર્વ કન્વિનર અને ત્યારબાદ ભાજપનો ખેસ ધારણ કરનાર રેશ્મા પટેલે આજે વિધિવત ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આ માટે મેં ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે. પત્રકાર પરિષદ સંબોધતા રેશ્માએ જણાવ્યું હતું કે, ઉપલેટાને મેં મારું નિવાસ સ્થાન બનાવ્યું છે. મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચને પત્ર પણ લખ્યો છે. હું તમામની સંપર્કમાં છું. જોકે, હું ભાજપમાંથી રાજીનામું આપું છું. જો અપક્ષ તરીકે લડવાનું થશે તો માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા એક સાથે લડીશ.
વધુમાં રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, તેમણે લલિત વસોયાને વિનંતી કરી છે અને કહ્યું છે કે જો ભાજપને પાડવું હશે તો એક થઇને લડવું પડશે. ભાજપનો ખેસ કુરિયર દ્વારા પરત કરું છું. પત્ર પણ કુરિયર કરી કમલમ મોકલાવીશ તેવું તેમણે ઉમેર્યું હતું.
આમ, આડકતરી રીતે કોંગ્રેસનો છૂપી રીતે સાથ આપવાના અણસાર વર્તાઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.