-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયા દ્વારા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જેને સિયોલ શાંતિ પુરસ્કાર કહેવામાં આવે છે એવા આ પુરસ્કાર માટે વિશ્વભરમાંથી 1300 નામોની વચ્ચે ભારતના વડાપ્રધાનની પસંદગી થઇ હતી. મોદીને 2018ના ધ પર્ફેક્ટ કેન્ડીડેટ ફોર ધ ઇયર 2018 સિયોલ પીસ પ્રાઇઝ તરીકે પસંદ કરાયા હતા. મોદીએ સિયોલમાં આજે આ પુરસ્કાર સ્વીકારીને પુરસ્કાર પેટે મળનારી રકમ 1.30 કરોડ ગંગા નદીના શુધ્ધિકરણ માટેના પ્રોજેક્ટ નમામિ ગંગેને અર્પણ કરીને કહ્યું કે આ સન્માન તેમનું નહીં પણ સમગ્ર ભારતનું છે. નોંધનીય છે કે ભારતે દ. કોરિયા પાસેથી કે-9 પ્રકારની તોપો ખરીદી છે અને આ તોપો ભારતના સંરક્ષણ દળોમાં સામેલ કરાઇ છે. વડાપ્રધાને સિયોલમાં કોરિયામાં શહિદ થયેલા 1.65 લાખ જવાનોના સ્મારક ખાતે જઇને તેમને પુષ્પાંજલિ અર્પી હતી. આ પુરસ્કાર મેળવનાર મોદી પ્રથમ ભારતીય છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયા દ્વારા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જેને સિયોલ શાંતિ પુરસ્કાર કહેવામાં આવે છે એવા આ પુરસ્કાર માટે વિશ્વભરમાંથી 1300 નામોની વચ્ચે ભારતના વડાપ્રધાનની પસંદગી થઇ હતી. મોદીને 2018ના ધ પર્ફેક્ટ કેન્ડીડેટ ફોર ધ ઇયર 2018 સિયોલ પીસ પ્રાઇઝ તરીકે પસંદ કરાયા હતા. મોદીએ સિયોલમાં આજે આ પુરસ્કાર સ્વીકારીને પુરસ્કાર પેટે મળનારી રકમ 1.30 કરોડ ગંગા નદીના શુધ્ધિકરણ માટેના પ્રોજેક્ટ નમામિ ગંગેને અર્પણ કરીને કહ્યું કે આ સન્માન તેમનું નહીં પણ સમગ્ર ભારતનું છે. નોંધનીય છે કે ભારતે દ. કોરિયા પાસેથી કે-9 પ્રકારની તોપો ખરીદી છે અને આ તોપો ભારતના સંરક્ષણ દળોમાં સામેલ કરાઇ છે. વડાપ્રધાને સિયોલમાં કોરિયામાં શહિદ થયેલા 1.65 લાખ જવાનોના સ્મારક ખાતે જઇને તેમને પુષ્પાંજલિ અર્પી હતી. આ પુરસ્કાર મેળવનાર મોદી પ્રથમ ભારતીય છે.