ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચીફ તેમજ રાહુલ ગાંધીના નજીકના ગણાતા સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 'મને આ હુમલા વિશે વધુ માહિતી તો નથી પરંતુ આવું હંમેશા થતું આવ્યું છે. મુંબઈમાં પણ હુમલો થયો હતો. આપણે તે સમયે પણ પ્રતિક્રિયા આપી શકતા હતા અને પોતાના પ્લેન પાકિસ્તાનમાં મોકલી શકતા હતા. પરંતુ તે યોગ્ય ન હોત. કારણ કે, મારા મતે દુનિયાની સાથે ડીલ કરવા માટે આ યોગ્ય રીત નથી'.
પિત્રોડાએ વધુમાં કહ્યું હતું કે, આઠ લોકો આવીને કંઈક કરે છે તો તેના માટે તમે સમગ્ર દેશ (પાકિસ્તાન)ને દોષી ન ઠેરવી શકાય. કેટલાક લોકો માટે સમગ્ર દેશને જવાબદાર માનવો તે અપરિપક્વ વાત ગણાય.
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચીફ તેમજ રાહુલ ગાંધીના નજીકના ગણાતા સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 'મને આ હુમલા વિશે વધુ માહિતી તો નથી પરંતુ આવું હંમેશા થતું આવ્યું છે. મુંબઈમાં પણ હુમલો થયો હતો. આપણે તે સમયે પણ પ્રતિક્રિયા આપી શકતા હતા અને પોતાના પ્લેન પાકિસ્તાનમાં મોકલી શકતા હતા. પરંતુ તે યોગ્ય ન હોત. કારણ કે, મારા મતે દુનિયાની સાથે ડીલ કરવા માટે આ યોગ્ય રીત નથી'.
પિત્રોડાએ વધુમાં કહ્યું હતું કે, આઠ લોકો આવીને કંઈક કરે છે તો તેના માટે તમે સમગ્ર દેશ (પાકિસ્તાન)ને દોષી ન ઠેરવી શકાય. કેટલાક લોકો માટે સમગ્ર દેશને જવાબદાર માનવો તે અપરિપક્વ વાત ગણાય.