ગરીબો માટે સરકારે અમલી બનાવેલી મનરેગા યોજનાનો ઉપયોગ સરકારી કર્મચારીઓ પોતાની ગરીબી દૂર કરવા માટે કરી રહ્યા છે. ગુજરાતના લગભગ દરેક જિલ્લા જાણે મનરેગા કૌભાંડની ઝપેટમાં હોય તેમ લાગે છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ થયાની શંકા છે. આ કૌભાંડમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સી સંડોવાયેલી છે. આ કૌભાંડને પણ હજી પાશેરામાં પહેલી પૂણી માનવામાં આવે છે. તપાસમાં ઊંડા ઉતરતા કૌભાંડની રકમનો વ્યાપ વધે તો પણ આશ્ચર્ય નહીં થાય.