Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધીમંત પુરોહિત

શાળાઓની ફી નિયમનનાં મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં છેલ્લા નિવેદને સરકારના અંગ પરનું છેલ્લું કપડું પણ સરી ગયું છે અને સરકારનું આ દિગંબરરૂપ જોઇને ગુજરાતી વાલીઓનો રહ્યો સહ્યો છેલ્લો ભ્રમ પણ ભાંગી ગયો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર્સિંહે બધી લાજ શરમ છોડીને, પ્રજાના પ્રતિનિધિને બદલે શિક્ષણ માફિયાઓના પ્રતિનિધિ  હોય એ રીતે વાલીઓને  કહી દીધું છે, કે શાળાઓ જેટલી ફી કહે એટલી ભરી દો.

 

જો આમ જ વાત હતી તો તમારી કે તમારી સરકારની કે તમારા ફી નિયમન કાયદાનાં તાયાફાની જરૂર શી હતી? શાળાઓ કહે એટલી ફી તો વાલીઓ મજબૂરીથી ભરતા જ આવ્યા છે વરસોથી. ગયા વરસે ચૂંટણી પહેલા તમે મહત્તમ રૂપિયા ૧૫૦૦૦,  ૨૦૦૦૦ અને ૨૭૦૦૦ની ફી મર્યાદાનો કાયદો લાવ્યા. પ્રજાના પૈસે જ  એની મોટી મોટી જાહેરાતો કરીને જશ ખાટવાનો પ્રયત્ન કર્યો. પછી સલુકાઈથી વાલીઓ અને શાળા સંચાલકોને સામા સામે મૂકી દીધા. એમાં ભરાવા જેવું લાગતા, એમના મળતીયાઓ કેસ કોર્ટમાં લઇ ગયા. ચુંટણી તો પૂરી થઇ ગઈ. બે આંકડામાયે સરકાર તો ફરી ભાજપની જ બની. પાંચ વરસ સુધી હવે કોઈ વાંધો નથી. એટલે સરકારે બેશરમીથી એના જૂના દાવામાંથી પલટી મારી. ૧૫૦૦૦. ૨૦૦૦૦, ૨૭૦૦૦ મહત્તમ કે લઘુત્તમ મર્યાદા નથી, માત્ર કટ ઓફ પોઈન્ટ છે.એનીયે પાછી પ્રજાને જ પૈસે લાખોની જાહેરાતો કરી. આટલું ઓછું હોય એમ હવે કહે છે કે સંચાલકો કહે એટલી ફી ભરી દો.

 

સામે પક્ષે સંચાલકોએ એમને કેટલી ફી પોસાશે એ દરખાસ્ત સરકારને કરવાની હતી. શહેરની મોટી સ્કૂલોના મોટા ભાગના સંચાલકોએ દરખાસ્ત સુધ્ધા કરી નથી. સરકારની હિંમત નથી કે એમને ખોંખારીને કઈ કહી શકે. વળી ગામડાઓની ઘણી શાળાઓ એવી છે, જેમની ફી ૧૫૦૦૦ કરતાયે ઓછી હતી. એમણે હવે ફી ૧૫૦૦૦ સુધી વધારી દીધી છે.

 

આ બધાની પાછળ સરકારની મંશા શું હોઈ શકે? એક બાજુ, ફી ઘટાડવાને નામે ચૂંટણીમાં લોકોને મૂરખ બનાવી એમના મત અંકે કરી લેવા અને બીજી બાજુ, ફી નહિ ઘટાડીએની છાની ખાતરીઓ આપી, સંચાલકોને ખંખેરી લેવા. બીજેપીની ચાલ તો સમજાય એવી છે, પણ કોંગ્રેસ કેમ ચૂપ છે? વિધાનસભા ચાલુ છે ત્યાં અને બહાર પણ કોંગ્રેસમાં કેમ કોઈ સળવળાટ નથી.ખેલ ભાગીદારીનો છે કે શું?

www.newzviewz.com

ધીમંત પુરોહિત

શાળાઓની ફી નિયમનનાં મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં છેલ્લા નિવેદને સરકારના અંગ પરનું છેલ્લું કપડું પણ સરી ગયું છે અને સરકારનું આ દિગંબરરૂપ જોઇને ગુજરાતી વાલીઓનો રહ્યો સહ્યો છેલ્લો ભ્રમ પણ ભાંગી ગયો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર્સિંહે બધી લાજ શરમ છોડીને, પ્રજાના પ્રતિનિધિને બદલે શિક્ષણ માફિયાઓના પ્રતિનિધિ  હોય એ રીતે વાલીઓને  કહી દીધું છે, કે શાળાઓ જેટલી ફી કહે એટલી ભરી દો.

 

જો આમ જ વાત હતી તો તમારી કે તમારી સરકારની કે તમારા ફી નિયમન કાયદાનાં તાયાફાની જરૂર શી હતી? શાળાઓ કહે એટલી ફી તો વાલીઓ મજબૂરીથી ભરતા જ આવ્યા છે વરસોથી. ગયા વરસે ચૂંટણી પહેલા તમે મહત્તમ રૂપિયા ૧૫૦૦૦,  ૨૦૦૦૦ અને ૨૭૦૦૦ની ફી મર્યાદાનો કાયદો લાવ્યા. પ્રજાના પૈસે જ  એની મોટી મોટી જાહેરાતો કરીને જશ ખાટવાનો પ્રયત્ન કર્યો. પછી સલુકાઈથી વાલીઓ અને શાળા સંચાલકોને સામા સામે મૂકી દીધા. એમાં ભરાવા જેવું લાગતા, એમના મળતીયાઓ કેસ કોર્ટમાં લઇ ગયા. ચુંટણી તો પૂરી થઇ ગઈ. બે આંકડામાયે સરકાર તો ફરી ભાજપની જ બની. પાંચ વરસ સુધી હવે કોઈ વાંધો નથી. એટલે સરકારે બેશરમીથી એના જૂના દાવામાંથી પલટી મારી. ૧૫૦૦૦. ૨૦૦૦૦, ૨૭૦૦૦ મહત્તમ કે લઘુત્તમ મર્યાદા નથી, માત્ર કટ ઓફ પોઈન્ટ છે.એનીયે પાછી પ્રજાને જ પૈસે લાખોની જાહેરાતો કરી. આટલું ઓછું હોય એમ હવે કહે છે કે સંચાલકો કહે એટલી ફી ભરી દો.

 

સામે પક્ષે સંચાલકોએ એમને કેટલી ફી પોસાશે એ દરખાસ્ત સરકારને કરવાની હતી. શહેરની મોટી સ્કૂલોના મોટા ભાગના સંચાલકોએ દરખાસ્ત સુધ્ધા કરી નથી. સરકારની હિંમત નથી કે એમને ખોંખારીને કઈ કહી શકે. વળી ગામડાઓની ઘણી શાળાઓ એવી છે, જેમની ફી ૧૫૦૦૦ કરતાયે ઓછી હતી. એમણે હવે ફી ૧૫૦૦૦ સુધી વધારી દીધી છે.

 

આ બધાની પાછળ સરકારની મંશા શું હોઈ શકે? એક બાજુ, ફી ઘટાડવાને નામે ચૂંટણીમાં લોકોને મૂરખ બનાવી એમના મત અંકે કરી લેવા અને બીજી બાજુ, ફી નહિ ઘટાડીએની છાની ખાતરીઓ આપી, સંચાલકોને ખંખેરી લેવા. બીજેપીની ચાલ તો સમજાય એવી છે, પણ કોંગ્રેસ કેમ ચૂપ છે? વિધાનસભા ચાલુ છે ત્યાં અને બહાર પણ કોંગ્રેસમાં કેમ કોઈ સળવળાટ નથી.ખેલ ભાગીદારીનો છે કે શું?

www.newzviewz.com

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ