-
આજે વહેલી સવારે દિલ્હી આવી રહેલી સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા બિહારના હાજીપુર ખાતે પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા 8 મુસાફરો માર્યા ગયા છે અને અનેક મુસાફરો ઘાયલ થયા છે. રેલવે દ્વારા આ અકસ્માતની તપાસ અને અસરગ્રસ્તો માટે વળતરની સહાય જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત અન્ય આગેવાનોએ માર્યા ગયેલાઓ પ્રત્યે દુખની લાગણી દર્શાવી હતી. આ ટ્રેન અકસ્માત લગભગ સવારે 4 વાગે સહદોઇ બુજુર્ગ રેલવે સ્ટેશન નજીક સર્જાયો હતો. મૃતકોને 5-5 લાખના વળતરની જાહેરાત થઇ છે. આ ટ્રેન જોગબનીથી આનંદવિહાર-દિલ્હી આવી રહી હતી. રેલ પાટામાં ભંગાણને કારણે ટ્રેનના 11 પાટા ઉથલી પડ્યા હતા.
-
આજે વહેલી સવારે દિલ્હી આવી રહેલી સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા બિહારના હાજીપુર ખાતે પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા 8 મુસાફરો માર્યા ગયા છે અને અનેક મુસાફરો ઘાયલ થયા છે. રેલવે દ્વારા આ અકસ્માતની તપાસ અને અસરગ્રસ્તો માટે વળતરની સહાય જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત અન્ય આગેવાનોએ માર્યા ગયેલાઓ પ્રત્યે દુખની લાગણી દર્શાવી હતી. આ ટ્રેન અકસ્માત લગભગ સવારે 4 વાગે સહદોઇ બુજુર્ગ રેલવે સ્ટેશન નજીક સર્જાયો હતો. મૃતકોને 5-5 લાખના વળતરની જાહેરાત થઇ છે. આ ટ્રેન જોગબનીથી આનંદવિહાર-દિલ્હી આવી રહી હતી. રેલ પાટામાં ભંગાણને કારણે ટ્રેનના 11 પાટા ઉથલી પડ્યા હતા.