નરેન્દ્ર મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવા પર બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની સિદ્ધીઓ વર્ણવી હતી. તેમણે કહ્યું, છેલ્લા 3 વર્ષમાં એનડીએ સરકારે જડમૂળથી ફેરફારો કર્યા છે. મોદી સરકારમાં દેશનું ગૌરવ વધ્યું છે, પરિવારવાદ ખતમ થયો છે. એક સવાલના જવાબ પર શાહે કહ્યું, જો રજનીકાંત બીજેપીમાં આવવા માંગે તો તેમનું સ્વાગત છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું કે તેમની પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં 2014 કરતાં વધારે સીટ જીતશે. તે વર્ષે પાર્ટીએ 282 સીટ જીતી હતી. શાહે આશા વ્યક્ત કરી છે કે પશ્ચિમ બંગાળ, કેરળ, તેલંગાણા અને ઓરિસ્સા જેવાં રાજ્યોમાં પાર્ટી વધારે સારું પ્રદર્શન કરશે. અમિત શાહે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અલગ અલગ વિસ્તારમાં મહાન રાષ્ટ્ર રીતે બહાર આવશે.
નરેન્દ્ર મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવા પર બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની સિદ્ધીઓ વર્ણવી હતી. તેમણે કહ્યું, છેલ્લા 3 વર્ષમાં એનડીએ સરકારે જડમૂળથી ફેરફારો કર્યા છે. મોદી સરકારમાં દેશનું ગૌરવ વધ્યું છે, પરિવારવાદ ખતમ થયો છે. એક સવાલના જવાબ પર શાહે કહ્યું, જો રજનીકાંત બીજેપીમાં આવવા માંગે તો તેમનું સ્વાગત છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું કે તેમની પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં 2014 કરતાં વધારે સીટ જીતશે. તે વર્ષે પાર્ટીએ 282 સીટ જીતી હતી. શાહે આશા વ્યક્ત કરી છે કે પશ્ચિમ બંગાળ, કેરળ, તેલંગાણા અને ઓરિસ્સા જેવાં રાજ્યોમાં પાર્ટી વધારે સારું પ્રદર્શન કરશે. અમિત શાહે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અલગ અલગ વિસ્તારમાં મહાન રાષ્ટ્ર રીતે બહાર આવશે.