મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપીના પ્રમુખ શરદ પવાર આગામી લોકસભાની ચૂંટણી નથી લડવાના. છેલ્લા ઘણા સમયથી પવાર માઢા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે એવી અટકળો વહેતી થઈ હતી. જોકે એનસીપીના પ્રમુખે સોમવારે તમામ અટકળોને પોતે ચૂંટણી નથી લડવાના, એવું કહીને વિરામ આપી દીધો હતો.
ચૂંટણી લડવાની સંભાવનાઓને વિરામ આપતાં પવારે કહ્યું હતું કે ‘મેં વિચાર્યું હતું કે મારા પરિવારના બે સભ્ય ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. હું ૧૪ વાર ચૂંટણી લડી ચૂક્યો છું એટલે મને એવો અહેસાસ થઇ રહ્યો છે કે આ ચૂંટણી ન લડવાના ફેંસલાનો ખરો સમય છે.’
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપીના પ્રમુખ શરદ પવાર આગામી લોકસભાની ચૂંટણી નથી લડવાના. છેલ્લા ઘણા સમયથી પવાર માઢા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે એવી અટકળો વહેતી થઈ હતી. જોકે એનસીપીના પ્રમુખે સોમવારે તમામ અટકળોને પોતે ચૂંટણી નથી લડવાના, એવું કહીને વિરામ આપી દીધો હતો.
ચૂંટણી લડવાની સંભાવનાઓને વિરામ આપતાં પવારે કહ્યું હતું કે ‘મેં વિચાર્યું હતું કે મારા પરિવારના બે સભ્ય ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. હું ૧૪ વાર ચૂંટણી લડી ચૂક્યો છું એટલે મને એવો અહેસાસ થઇ રહ્યો છે કે આ ચૂંટણી ન લડવાના ફેંસલાનો ખરો સમય છે.’