-
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની સંયુક્ત સરકાર હોવા છતાં છેલ્લાં કેટલાય સમયથી શિવસેનાએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે રણશિંગૂ ફૂંક્યું હોય તેમ કડકમાં કડક આલોચના અને તાજેતરમાં જ કોંગ્રસના નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા બાદ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રાજકીય નુકશાન પહોંચાડવા અને ભાજપની નેતાગીરી પર દબાણ લાવવા શિવસેનાએ ચૂંટણીમાં ભાજપની સામે પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. મુંબઇમાં આજે 30 ઓક્ટોબરના રોજ શિવસેનાના સુપ્રિમો ઉધ્ધવ ઠાકરેએ આ જાહેરાત કરી છે. જોવાનું એ છે કે ખરેખર શિવસેના ઉમેદવારો ઉભા રાખે છે કે પછી ભાજપના દબાણથી પાણીમાં બેસી જશે.
-
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની સંયુક્ત સરકાર હોવા છતાં છેલ્લાં કેટલાય સમયથી શિવસેનાએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે રણશિંગૂ ફૂંક્યું હોય તેમ કડકમાં કડક આલોચના અને તાજેતરમાં જ કોંગ્રસના નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા બાદ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રાજકીય નુકશાન પહોંચાડવા અને ભાજપની નેતાગીરી પર દબાણ લાવવા શિવસેનાએ ચૂંટણીમાં ભાજપની સામે પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. મુંબઇમાં આજે 30 ઓક્ટોબરના રોજ શિવસેનાના સુપ્રિમો ઉધ્ધવ ઠાકરેએ આ જાહેરાત કરી છે. જોવાનું એ છે કે ખરેખર શિવસેના ઉમેદવારો ઉભા રાખે છે કે પછી ભાજપના દબાણથી પાણીમાં બેસી જશે.