Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે. તાજેતરનો મામલો કર્ણાટકનો છે જ્યાં રાહુલ ગાંધીએ એક લાખ મત ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ચૂંટણીપંચ દ્વારા મત ચોરી કરવામાં આવી રહ્યા છે. આ કિસ્સામાં ચૂંટણી પંચે તેમને એક સોગંદનામું મોકલ્યું હતું અને કહ્યું હતું કે આના પર હસ્તાક્ષર કરો કે તમે જે કહી રહ્યા છે તે સાચું છે. જો તે ખોટું જણાશે તો તમારી સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. અત્યાર સુધી, રાહુલ ગાંધી કે કોંગ્રેસ તરફથી આ સોગંદનામા અંગે કોઈ જવાબ આવ્યો નથી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ