શ્રીલંકામાં બરખાસ્ત વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેની પાર્ટીએ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના પર તખ્તાપલટનો આક્ષેપ કરીને મંગળવારે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંને છાવણી રાજકીય સંકટને ખતમ કરવા માટે સંસદમાં સંખ્યાબળ ભેગું કરવાનો પ્રયાસ કરી રહી છે. વિક્રમાસિંઘેની યુનાઇટેડ નેશનલ પાર્ટીએ મંગળવારે રાજધાની કોલંબોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ મંત્રી ચંપિકા રાણાવાકાએ કહ્યું કે અમે સમાજના તમામ વર્ગોને આહ્વાન કરી રહ્યાં છે જેઓ લોકશાહી અને કાનૂન વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે. વિક્રમાસિંઘે સરકારમાં નાણામંત્રી રહેલા મંગલા સમરવીરાએ કહ્યું કે આ બંધારણીય તખ્તાપલટ છે તથા લોકશાહી અને સંપ્રભુતાને બચાવવી અમારી જવાબદારી છે. સ્પીકર જયસૂર્યાને અનુરોધ કર્યો કે વિક્રમાસિંઘેને સંસદમાં વિશ્વાસ મત સાબિત કરવાની તક આપવામાં આવે.
શ્રીલંકામાં બરખાસ્ત વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેની પાર્ટીએ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના પર તખ્તાપલટનો આક્ષેપ કરીને મંગળવારે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંને છાવણી રાજકીય સંકટને ખતમ કરવા માટે સંસદમાં સંખ્યાબળ ભેગું કરવાનો પ્રયાસ કરી રહી છે. વિક્રમાસિંઘેની યુનાઇટેડ નેશનલ પાર્ટીએ મંગળવારે રાજધાની કોલંબોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ મંત્રી ચંપિકા રાણાવાકાએ કહ્યું કે અમે સમાજના તમામ વર્ગોને આહ્વાન કરી રહ્યાં છે જેઓ લોકશાહી અને કાનૂન વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે. વિક્રમાસિંઘે સરકારમાં નાણામંત્રી રહેલા મંગલા સમરવીરાએ કહ્યું કે આ બંધારણીય તખ્તાપલટ છે તથા લોકશાહી અને સંપ્રભુતાને બચાવવી અમારી જવાબદારી છે. સ્પીકર જયસૂર્યાને અનુરોધ કર્યો કે વિક્રમાસિંઘેને સંસદમાં વિશ્વાસ મત સાબિત કરવાની તક આપવામાં આવે.