એસટી નિગમના કર્મચારીઓની બે દિવસથી અચોક્કસ મુદતની હડતાlલ બાદ શુક્રવારે મોડી રાત્રે વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુ સાથે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. સાતમા પગાર પંચ સહિત અન્ય પડતર માંગણીઓને પગલે એક સપ્તાહમાં નિર્ણય લેવા આશ્વાસન અપાતા કર્મચારીઓએ હડતાલ પાછી ખેંચી હતી અને રાત્રે 12 વાગ્યાથી રાજ્યભરમાં બસો પાછી દોડતી થઈ હતી. મહત્વનું છે કે, એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરોને આ હડતાલના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
એસટી નિગમના કર્મચારીઓની બે દિવસથી અચોક્કસ મુદતની હડતાlલ બાદ શુક્રવારે મોડી રાત્રે વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુ સાથે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. સાતમા પગાર પંચ સહિત અન્ય પડતર માંગણીઓને પગલે એક સપ્તાહમાં નિર્ણય લેવા આશ્વાસન અપાતા કર્મચારીઓએ હડતાલ પાછી ખેંચી હતી અને રાત્રે 12 વાગ્યાથી રાજ્યભરમાં બસો પાછી દોડતી થઈ હતી. મહત્વનું છે કે, એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરોને આ હડતાલના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.